Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુએસ-કેનેડા બોર્ડર પર જીવ ગુમાવનારા પરિવાર ગુજરાતનો, તીવ્ર ઠંડીએ જીવ લીધા!

કેનેડા-યુએસ બોર્ડર પર એક નવજાત શિશુ સહિત ચાર ભારતીય લોકોના બરફમાં જીવતા થીજી જવાનો મામલો સામે આવ્યો છે. માનવ તસ્કરી દ્વારા તેમને અહીં લાવવામાં આવ્યા હોવાની આશંકા છે.

નવી દિલ્હી : કેનેડા-યુએસ બોર્ડર પર એક નવજાત શિશુ સહિત ચાર ભારતીય લોકોના બરફમાં જીવતા થીજી જવાનો મામલો સામે આવ્યો છે. માનવ તસ્કરી દ્વારા તેમને અહીં લાવવામાં આવ્યા હોવાની આશંકા છે. કેનેડામાં યુએસ બોર્ડર પાસે બરફ નીચેથી ચાર મૃતદેહો મળી આવ્યા બાદ ભારતના ગુજરાત સ્થિત એક ગામમાં શોકનો માહોલ છે. ગાંધીનગરના કલોલ તાલુકાના ડીંગુચાનો ગામનો એક પટેલ પરિવાર કેનેડામાં ગુમ થયો હતો. આ પરિવાર 10 દિવસ પહેલા કેનેડા જવા રવાના થયો હતો, જેના કારણે છેલ્લા 4 દિવસથી પરિવાર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો.

વિદેશ મંત્રીએ ખેદ વ્યક્ત કર્યો

વિદેશ મંત્રીએ ખેદ વ્યક્ત કર્યો

વિદેશ મંત્રી જયશંકરે ટ્વિટ કરીને કહ્યું- 'કેનેડા-યુએસ બોર્ડર પર એક શિશુ સહિત 4 ભારતીય નાગરિકોના મોતના અહેવાલથી ચોંકી ઉઠ્યા છીએ. અમે યુએસ અને કેનેડામાં અમારા રાજદૂતોને પરિસ્થિતિ અંગે તાત્કાલિક જાણ કરવા જણાવ્યું છે.

આ નામ સામે આવ્યા

આ નામ સામે આવ્યા

ગુજરાતના કલોકના ડીંગુચા ગામથી પરિવારના સભ્યોએ ભારતીય સત્તાવાળાઓનો સંપર્ક કર્યો ત્યારે કાર્યવાહીને વેગ મળ્યો. ગાંધીનગર જિલ્લાના કલોલના નવા ડીંગુચા ગામના વતની જગદીશભાઈ બલદેવભાઈ પટેલ (ઉંમર 35) તેમની પત્ની વૈશાલીબેન (ઉંમર 33), પુત્રી વિહંગા (ગોપી) ઉંમર 12)) અને પુત્ર ધાર્મિક (ઉંમર 3) પરિવાર કેનેડા જવા રવાના થયા હતો.

કેવી રીતે ખુલાસો થયો

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ શુક્રવારે અહેવાલ આપ્યો હતો કે યુએસ સાથેની કેનેડાની સરહદ પર ઠંડીના કારણે એક બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. એવું લાગે છે કે આ લોકોને માનવ તસ્કરી દ્વારા અહીં લાવવામાં આવ્યા હતા. કેનેડામાં ઇમર્સન નજીક યુએસ રાજ્યની સરહદ નજીકથી ચાર લોકોના મૃતદેહ-બે પુખ્ત, એક કિશોર અને એક બાળક મળી આવ્યા હતા.

પોલીસે એજન્ટની ધરપકડ કરી

પોલીસે એજન્ટની ધરપકડ કરી

અહેવાલ મુજબ યુએસ સત્તાવાળાઓએ કેનેડાથી ભારતીય નાગરિકોની માનવ તસ્કરીના આરોપમાં સ્ટીવ શેન્ડ નામના આરોપીની ધરપકડ કરી છે. બીજી તરફ મિનેસોટામાં યુએસ એટર્નીની ઑફિસે બુધવારે સંબંધિત કાગળો વિના સરહદ નજીક ડ્રાઇવિંગ કરતી વખતે બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી. આ સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે તેમની સાથે પગપાળા મુસાફરી કરી રહેલી ચાર લોકોની ટીમ ભટકી ગઈ હતી.

ડીએમે પુષ્ટિ કરી નથી

પરિવારના સભ્યો દૂતાવાસનો સંપર્ક કરી રહ્યા છે. હવે સોમવારે વાસ્તવિકતા જાણવા મળે તેવી શક્યતા છે. આ બાબતે જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય સાથેની ટેલિફોનિક વાતચીતમાં તેમણે જણાવ્યું કે, 'આ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે કે કેમ તેની હાલ પુષ્ટિ થઈ નથી. મીડિયા દ્વારા માહિતી મળી છે, ગ્રામજનો પણ મૃતક તેમના જ ગામના હોવાની વાત કરી રહ્યા છે. પરંતુ પુષ્ટિ પછી જ માહિતી જાહેર કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X