ભારતમાં પહેલી વાર ગુજરાતમાં ફેલાયો ‘કોંગો' વાયરસ, 2 મહિલાના મોત, 5ના જીવ જોખમમાં
ગુજરાતમાં ‘ચાંદીપુરા' વાયરસ બાદ હવે ‘કોંગો' વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસની ઝપટમાં આવવાથી 2 મહિલાના મોત નીપજ્યા છે.
ગુજરાતમાં 'ચાંદીપુરા' વાયરસ બાદ હવે 'કોંગો' વાયરસે દસ્તક દીધી છે. આ વાયરસની ઝપટમાં આવવાથી 2 મહિલાના મોત નીપજ્યા છે. જ્યારે પાંચ અન્ય દર્દીઓનો અત્યારે હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. 'કોંગો' વાયરસથી જે મોતના કેસ સામે આવ્યા છે તે સુરેન્દ્રનગર જિલ્લાના છે. અહીંના દર્દીઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ડૉક્ટરોના જણાવ્યા મુજબ આ વાયરસ પાલતુ પશુઓ દ્વારા ફેલાય છે. વળી, આ પહેલા 'ચાંદીપુરા' વાયરસનો પ્રકોપ પણ જોવા મળ્યો હતો. આ વાયરસે નાના બાળકોને પોતાના શિકાર બનાવ્યા હતા.

78 વર્ષીય મહિલાનુ ઈલાજ દરમિયાન મોત
સુરેન્દ્રનગર જિલ્લાના 78 વર્ષીય સુખીબેન મેણિયામાં ક્રીમિયન-‘કોંગો' હેમોરેજિયા તાવ (CCHF) વાયરસના લક્ષણ મળ્યા હતા. તે લિંબડીના જામડી ગામના રહેવાસી હતા. ઈલાજ દરમિયાન તેમનુ મોત નીપજ્યુ હતુ. તેમના મોત પહેલા તેમના સંબંધીમાં પણ આ લક્ષણ જોવા મળ્યા હતા. તેમનુ પણ મોત થઈ ગયુ હતુ. જણાવવામાં આવી રહ્યુ છે કે સુરેન્દ્રનગરની સી યુ શાહ મેડીકલ કોલેજમાં ઈલાજ કરાવી રહેલ અન્ય એક મહિલાનુ પણ આ રીતના લક્ષણોના કારણે મોત થઈ ગયુ.

જ્યાં મોત થયા એ જ ગામમાં સૌથી વધુ જોખમ
સુરેન્દ્રનગરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સી કે પરમારે જણાવ્યુ કે, ‘સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં મરનાર મહિલા અને એ જ ગામના રહેવાસી લોકો પર જોખમ છે. અમે આ ગામના ચાર અન્ય સંબંધીઓના નમૂના પૂના મોકલ્યા છે જેના પર કાંગો વાયરસ હોવાની શંકા છે.'

આરોગ્ય-પશુપાલન વિભાગનું સંપૂર્ણ ધ્યાન જામડી ગામ પર
આરોગ્ય અને પશુપાલન વિભાગનું સંપૂર્ણ ધ્યાન સુરેન્દ્રનગરના જામડી ગામ પર છે. એક ડૉક્ટરને દિવસ દરમિયાન ગામમાં નિયુક્ત કરવામાં આવ્યા છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે કોઈ પણ રોગીને તાવ, ઉલ્ટી કે અનિયંત્રિત બ્લીડિંગના લક્ષણ જોવા મળે તો તરત જ ઈલાજ માટે અમદાવાદ મોકલી દેવામાં આવે.

મહિલાના લોહીના નમૂના પૂના મોકલવામાં આવ્યા
ગુજરાતના આરોગ્ય કમિશ્નર જયંતિ રવિઅ કહ્યુ કે અમારી પાસે એ માનવાના કારણ છે કે સુરેન્દ્રનગરમાં એક મહિલાનું મોત સીસીએચએફથી થયુ હતુ કારણકે એ મહિલામાં પણ સુખીબેન જેવા લક્ષણ હતા. સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે સુરેન્દ્રનગરના ચિકિત્સાલય આરોગ્ય અધિકારીને જાણવા મળ્યુ કે સીયુ શાહ મેડીકલ કોલેજમાં જે મહિલાનું મોત થયુ છે તેમાં સીસીએચએફ જેવા લક્ષણ છે. મહિલાના લોહીના નમૂના પૂણે મોકલવામાં આવ્યા છે અને પરિણામ રાહ જોવાઈ રહી છે.

2 મહિલાઓના થયા મોત
જયંતિ રવિએ કહ્યુ કે અમે સીયુ શાહ મેડીકલ કોલેજના કર્મચારીઓને પણ મોનિટરિંગ હેઠળ રાખ્યા છે કારણકે ઈલાજ દરમિયાન મહિલાના સીધા સંપર્કમાં આવ્યા હતા. ગુજરાતમાં કાંગો વાયરસથી અત્યાર સુધીમાં બે મહિલાઓના મોત થઈ ચૂક્યા છે અને પાંચનો ઈલાજ ચાલી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
