ચંદ્રયાન 3ની સફળતા માટે હિંમતનગરના વૈજનાથ મંદિરમાં ભોળાનાથને કરાઈ પ્રાર્થના અને આરતી
Chandrayaan 3: સાબરકાંઠા જિલ્લાના હિમતનગરના રાયગઢમાં આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે મંગળવારે મંદિરના ભક્તો દ્વારા ચંદ્રયાન -3ની સફળ લેન્ડીગ માટે ભક્તો ધ્વારા ભગવાન શિવજીને કલર વડે ચંદ્રયાન-૩ ની પ્રતિકૃતિ બનાવીને શણગાર કાર્ય બાદ આરતી કરીને સફળતા માટે પ્રાર્થના સાથે આરતી કરી છે.
હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ સુદ છઠ અને આજે ભારતનું મૂન મિશન એટલે કે ચંદ્રયાન-3નું લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઊતરશે. જેને લઈને દેશભરમાં દેશવાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે.

ત્યારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે ભક્તો દ્વારા પણ શ્રી વૈજનાથ મહાદેવજીને 10 કિલો કલરનો ઉપયોગ કરીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ ચંદ્રયાન-૩ની પ્રતિકૃતિ બનાવીને સફળતા માટેની પ્રાર્થના સાથે આરતી કરવામાં આવી હતી. તો હિમતનગરથી શામળાજી રોડ પર આવેલ રાયગઢમાં સ્વયંભુ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર આવેલું છે જ્યાં દાદાના સાનિધ્યમાં ગામના યુવાનો દ્વારા આ વખતે 7 લાખથી પણ વધારે રુદ્રાક્ષનું શિવલિંગ બનાવેલ છે.
જેના ઉપર અભિષેક પણ કરવાની વ્યવસ્થા કરેલ છે. યુવાનો દ્વારા દાદાને દરરોજ વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યો છે. આ અંગે અર્પિત શુક્લાએ જણાવ્યું હતું કે આજે સાંજે દેશનું મુન મિશનને લઈને સર્વે દેશભરના દેશવાસીઓ સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે શ્રી વૈજનાથ મહાદેવ મંદિરના ભક્તો દ્વારા શિવજીને શણગાર સાથે આરતી કરીને સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
