જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ કોરોનાથી મોત, અમદાવાદમાં લીધા અંતિમ શ્વાસ
જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ આજે શુક્રવારે નિધન થઈ ગયુ.
જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાનુ આજે શુક્રવારે નિધન થઈ ગયુ. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ ટ્વિટ કરીને જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાની નિધનની સૂચના આપી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. તમને જણાવી દઈએ કે 89 વર્ષીય દારૂવાલા કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. ત્યારબાદ તેમણે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. મીડિયા અનુસાર અમદાવાદ નગર નિગમે ગઈ 22 મેના રોજ તેમના કોરોના સંક્રમિત થવાની પુષ્ટિ પણ કરી હતી.

સમાચારો અનુસાર તે છેલ્લા એક અઠવાડિયાથી એક ખાનગી હોસ્પિટલમાં ભરતી હતા. તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એક અઠવાડિયાથી તે વેંટીલેટર પર હતા. જો કે તેમના દીકરા નાસ્તુર દારૂવાલાએ કોરોનાથી મોત થઈ હોવાનો ઈનકાર કર્યો છે. દીકરાના જણાવ્યા અનુસાર તેમના પિતા બેજાન દારૂવાલાનુ મૃત્યુ ન્યૂમોનિયા અને ઑક્સિજનની કમીના કારણે થયુ. ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ બેજાન દારૂવાલાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ છે.
તમને જણાવી દઈએ કે જ્યોતિષી દારૂવાલા ભારત જ નહિ પરંતુ આખી દુનિયામાં ભવિષ્યવાણીઓ કરવા માટે જાણીતા હતા. દુનિયાના દરેક દેશમાં લાખોની સંખ્યામાં તેમના ફૉલોઅર છે. જે કોરોના વાયરસના કારણે તે જિંદગીની જંગ હારી ગયા તેમણે જ્યારે ભારતમાં કોરોના વાયરસનુ સંક્રમણ ફેલાવુ શરૂ થયુ હતુ ત્યારે ભવિષ્યવાળી કરી હતી કોરોના માટે હવે એક મુશ્કેલીનો સમય હશે. દારૂવાલા ભગવાન ગણેશના ભક્ત હતા અને પોતાની ભવિષ્યવાણી અને રાશિફળ લખવાની શરૂઆત ગણેશ ભગવાનથી જ કરતા હતા.
આ જાણીતા જ્યોતિષીએ સંજય ગાંધીના મોત વિશે ભવિષ્યવાણી કરી હતી. બેજાન દારૂવાલાએ એ ભવિષ્યવાણી કરી હતી કે સંજય ગાંધીનુ દૂર્ઘટનામાં મોત થશે. 23 જૂન 1980ના રોજ સંજય ગાંધીનુ એક વિમાન દૂર્ઘટનાાં મોત થઈ ગયુ હતુ. બેજાના દારૂુવાલાએ 2014 અને 2019માં મોદીના જીતની ભવિષ્યવાણી કરી હતી. બંને લોકસભા ચૂંટણીમાં ભાજપે પૂર્ણ બહુમતની સરકાર બનાવી હતી. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યા છે.
Noted astrologer Bejan Daruwala passes away, tweets Gujarat CM Vijay Rupani pic.twitter.com/FnpOEAAVdy
— ANI (@ANI) May 29, 2020
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
