ધોતિયાકાંડમાં કોર્ટે પ્રવીણ તોગડિયા સમેત 39 આરોપીઓને મુક્ત કર્યા, જાણો કેમ?
આત્મારામ પટેલ કેસમાં પ્રવીણ તોગડિયા સમેત 39 આરોપીઓને અમદાવાદ મેટ્રો કોર્ટે આરોપોમાંથી મુક્ત કર્યા છે. જાણો આ ખબર અંગે વધુ વિગતો અહીં.
ઉલ્લેખનીય છે કે જે કેસમાં વિહપના પ્રવીણ તોગડિયાના અરેસ્ટ વોરંટ નીકળ્યા હતા. તે જ કેસમાં આજે મેટ્રો કોર્ટે પ્રવીણ તોગડિયા, બાબુ પટેલ સમેત કુલ 39 લોકોને નિર્દોષ જાહેર કરીને આરોપોથી મુક્ત કર્યા છે. નોંધનીય છે કે 1996માં અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભાજપના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું જાહેરમાં ધોતિયું ખેંચવામાં આવ્યું હતું. અને તેને માર મારવામાં પણ આવ્યો હતો. જે બાદ ભાજપની સમગ્ર રાજ્યમાં ફજેતી થઇ હતી. મહેસાણાના સહકારી આગેવાન તેના આત્મારામ પટેલ શંકરસિંહ વાઘેલા સાથે ભાજપ છોડી જતા રહ્યા હતા તેના વખગે ભાજપના જ કાર્યકર્તાઓએ વિરોધ નોંધવવા તેમનું ધોતિયું ખેંચ્યુ હતું તેમ જાણવા મળ્યું હતું. જો કે લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલા આ કેસમાં છેવટે વિશ્વ હિંદુ પરિષદના વિવાદિત નેતા પ્રવીણ તોગડિયા વિરુદ્ધ અરેસ્ટ વોરંટ બહાર પાડતા, ફરીથી આ કેસ મીડિયામાં ચર્ચાનું કારણ બન્યો હતો.

જો કે હવે તેમાં નવો વળાંક આવ્યો છે. આત્મારામ પટેલનું ધોતિયું ખેચવાનો મામલો મેટ્રો કોર્ટે પ્રવીણ તોગડીયા, બાબુ જમના પટેલ સહિત 39 લોકોને આ કેસમાં છોડી મોકવાનો આદેશ કર્યો છે. નોંધનીય છે કે સરકાર દ્વારા CRPCની કલમ 321 મુજબ કેસ વિડ્રો કરવાની અરજી કરવામાં આવી હતી. જેને નામદાર કોર્ટે માન્ય રાખી હતી. જેના પગલે આ કેસના આરોપી તમામ લોકોને આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય છે કે જ્યારથી પ્રવીણ તોગડિયા અચાનક જ ગુમ થયા હતા તે પછીથી પ્રવીણ તોગડિયા અને રાજ્ય તથા કેન્દ્રની સરકાર વચ્ચે 36નો આંકડો થઇ ગયો છે. હોસ્પિટલમાંથી છૂટ્યા પછી પ્રવીણ તોગડિયાએ એન્કાઉન્ટર કરાવાથી માંડીને અનેક આરોપો સરકાર પર લગાવ્યા હતા. ત્યારે સરકાર દ્વારા જ આ કેસ પાછો ખેંચવાથી ચોક્કસથી પ્રવીણ તોગડિયાને થોડી રાહત રહેશે. ત્યારે આ કેસ આવા સમયે પાછો ખેંચવામાં આવ્યો છે જે સમયે તે અનેક રાજકીય સમીકરણો ઊભા કરી શકવા સક્ષમ છે. ત્યારે શું આ દ્વારા સરકાર પ્રવીણ તોગડિયાને મનાવવા માંગે છે કે પછી શું તે તો આવનારો સમય જ કહેશે. પણ હાલ પુરતું આ કેસમાં પ્રવીણ તોગડિયા સમેત 39 લોકો આરોપોમાંથી મુક્ત થયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
