Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુફી સંત અને અન્યની કબર તોડવા બદલ અમદાવાદમાં જૂથ અથડામણ, 35 લોકોની ધરપકડ

Violence in Ahmedabad: અમદાવાદના બહારી વિસ્તારમાં સ્થિત પિરાણા દરગાહમાં સુફી સંત અને તેમના પરિવારના સભ્યોની કબર તોડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ બે જૂથ અથડામણ થઇ હતી. જે બાદ ઘર્ષણ વધ્યું હતું. પોલીસે આ મામલે 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું કે, અથડામણ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.

પિરાણા દરગાહનું સંચાલન ઈમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જે હિન્દુ-મુસ્લિમ સૌહાર્દનું પ્રતીક છે. તેના ટ્રસ્ટીઓ બંને સમુદાયના સભ્યો છે.

Violence in Ahmedabad

પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, કેટલાક મતભેદોને કારણે મંગળવારની રાત્રે એક ટ્રસ્ટીએ પિરાણા દરગાહમાં સૂફી સંત ઈમામશાહ બાવા અને તેમના સંબંધીઓની કબરોમાં તોડફોડ કરી હતી.

આ પછી બંને સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. મામલો પ્રકાશમાં આવતાં મંગળવારની મોડી રાત્રે બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં દરગાહ સ્થળ પર એકઠા થયા હતા.

પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X