સુફી સંત અને અન્યની કબર તોડવા બદલ અમદાવાદમાં જૂથ અથડામણ, 35 લોકોની ધરપકડ
Violence in Ahmedabad: અમદાવાદના બહારી વિસ્તારમાં સ્થિત પિરાણા દરગાહમાં સુફી સંત અને તેમના પરિવારના સભ્યોની કબર તોડવાની ઘટના સામે આવી છે. આ ઘટના બાદ બે જૂથ અથડામણ થઇ હતી. જે બાદ ઘર્ષણ વધ્યું હતું. પોલીસે આ મામલે 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, અથડામણ દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.
પિરાણા દરગાહનું સંચાલન ઈમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જે હિન્દુ-મુસ્લિમ સૌહાર્દનું પ્રતીક છે. તેના ટ્રસ્ટીઓ બંને સમુદાયના સભ્યો છે.

પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, કેટલાક મતભેદોને કારણે મંગળવારની રાત્રે એક ટ્રસ્ટીએ પિરાણા દરગાહમાં સૂફી સંત ઈમામશાહ બાવા અને તેમના સંબંધીઓની કબરોમાં તોડફોડ કરી હતી.
આ પછી બંને સમુદાયના સભ્યોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. મામલો પ્રકાશમાં આવતાં મંગળવારની મોડી રાત્રે બંને સમુદાયના લોકો મોટી સંખ્યામાં દરગાહ સ્થળ પર એકઠા થયા હતા.
પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ બંને પક્ષોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ સહિત કેટલાક લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં 35 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
