PMJAYમાંથી અમદાવાદ, રાજકોટ, સુરત અને ગીર સોમનાથની વધુ સાત હોસ્પિલ્સ સસ્પેન્ડ કરાઈ
PMJAY: ગુજરાતના અલગ અલગ શહેરમાં આવેલી સાત હોસ્પિટલ્સને PMJAY (આયુષ્માન ભારત યોજના) હેઠળ હેલ્થકેર સર્વિસ ઉપલ્બ્ધ કરવા માટે સત્તાવાર સુવિધાઓની સૂચિમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.
જેમાં અમદાવાદની ત્રણ અને સુરત, વડોદરા, રાજકોટ અને ગીર સોમનાથની એક-એકનો સમાવેશ થાય છે.
સસ્પેન્ડ કરવામાં આવેલી હોસ્પિટલ્સમાં અમદાવાદની નરિત્વા હોસ્પિટલ, શિવ હોસ્પિટલ અને ખ્યાતી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત રાજકોટની નિહિત બેબી કેર ચિલ્ડ્રન હોસ્પિટલ, ગીર સોમનાથની જીવન જ્યોત હોસ્પિટલ અને વડોદરા અને સુરતની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલનો સમાવેશ થાય છે.

આ સાથે ડૉ. હિરેન મશરૂ (બાળરોગ નિષ્ણાત), ડૉ. કેતન કાલરીયા (રેડીએશન ઓન્કોલોજિસ્ટ), ડૉ. મિહિર શાહ (સર્જિકલ ઓન્કોલોજિસ્ટ) અને ડૉ. પ્રશાંત વઝીરાની (કાર્ડિયોલોજિસ્ટ) જેવા નિષ્ણાત ડૉકટર્સને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સત્તાવાળાઓ તરફથી આ કાર્યવાહી પીએમજેવાય (આયુષ્માન ભારત યોજના) માંથી કથિત રીતે પૈસા કમાવવા માટે ખ્યાતી હોસ્પિટલમાં ડૉ. પ્રશાંત વઝિરાનીએ બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ મૃત્યુ પામેલા બે દર્દીઓના મૃત્યુ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
