કેન્દ્ર સરકારે કઠોળમાં સ્ટૉક મર્યાદા લાગુ કરતા જ પુરવઠા વિભાગ આવ્યુ હરકતમાં
શહેર અન્ન અને નાગરિક પુરવઠા અને નિયંત્રણ કચેરીના માર્ગદર્શન હેઠળ શહેરના કઠોળના જથ્થાબંધ વેપારીઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
અમદાવાદઃ શહેર અન્ન અને નાગરિક પુરવઠા અને નિયંત્રણ કચેરીના માર્ગદર્શન હેઠળ શહેરના કઠોળના જથ્થાબંધ વેપારીઓના ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મદદનીશ નિયંત્રક દીપ દવેની સાથે પુરવઠા નિયામકોની જુદી જુદી ટીમો દ્વારા કઠોળના વેપારીઓના જથ્થાબંધ ગોડાઉન તેમજ દુકાનો ધરાવતા એકમોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેર પુરવઠા વિભાગની અનેક ટીમોની રચના આ કઠોળના વેપારીઓની સઘન તપાસ માટે કરવામાં આવી છે.

ઉચ્ચ કક્ષાની આ ટીમમાં પુરવઠા વિભાગના અધિકારીઓનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે કઠોળના ભાવમાં અસહ્ય ભાવ વધારાને નિયંત્રણમાં લાવવા માટે સ્ટૉક મર્યાદા લાગુ કરી છે. મગ સિવાયના તમામ પ્રકારના કઠોળ પર સ્ટૉક મર્યાદા બનાવવા રાજ્યોને આદેશ આપવામાં આવ્યા છે. આ સ્ટૉક મર્યાદા હોલસેલર્સ, રિટેલર્સ, મિલર્સ તેમજ આયાતકારને લાગુ પડશે.
તમને જણાવી દઈએ કે જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 500 ટનની રાખવામાં આવી છે તેમાં કોઈ પણ વેરાઈટી કે જાતનો જથ્થો 200 ટનથી વધુ ન હોવો જોઈએ. રિટેલરો માટે સ્ટોક મર્યાદા પાંચ ટન યથાવત રાખવામાં આવી છે. મિલરો માટે મર્યાદા છ મહિનાના સરેરાશ ઉત્પાદનના 50 ટકા રાખવામાં આવી છે. આયાતકારો, મિલરોએ ગ્રાહક મંત્રાલય સમક્ષ ડિસેમ્બર સુધીમાં કઠોળનો જથ્થો જાહેર કરી શકશે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
