Mahakumbh Mela 2025: અમદાવાદથી મહાકુંભ જવા માટે સ્પાઈસજેટે શરૂ કરી ડાયરેક્ટ ફ્લાઈટ
Ahmedabad to Prayagraj direct flight price: પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં 60 લાખ ભક્તોને ખેંચીને મહા કુંભ મેળો 2025 શરૂ થયો છે. લાખો કરોડો ભક્તો દેશ વિદેશથી મહાકુંભ મેળામાં ભાગ લેવા પહોંચી રહ્યા છે. આવામાં અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેઅનેક ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.
ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો આ પવિત્ર સંગમ એક મહત્વપૂર્ણ આધ્યાત્મિક ઘટના છે. આ પવિત્ર સ્થળની એક્સેસને બહેતર બનાવવા માટે, સ્પાઈસજેટે અમદાવાદ અને પ્રયાગરાજને જોડતી દૈનિક ડાયરેક્ટ ફ્લાઈટ્સ શરૂ કરી છે.
સ્પાઇસજેટનું નવું ફ્લાઇટ શેડ્યૂલ - સ્પાઈસ જેટની નવી સેવા 12 જાન્યુઆરીના રોજ શરૂ થઈ હતી અને 28 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી દરરોજની ફ્લાઈટ સવારે 8:10 કલાકે ઉપડે છે, અને સવારે 9:55 કલાકે પ્રયાગરાજ પહોંચે છે. પરત ફરતી મુસાફરી સાંજે 4:30 કલાકે પ્રયાગરાજથી નીકળે છે, 6:45 કલાકે અમદાવાદ પહોંચે છે.
નિયમિત સમયપત્રક ઉપરાંત, સ્પાઇસજેટ 25 જાન્યુઆરી અને 29 જાન્યુઆરીએ વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરશે. આ વધારાની ફ્લાઇટ્સ અમદાવાદથી સવારે 5:35 કલાકે ઉપડશે અને સવારે 7:20 કલાકે પ્રયાગરાજ પહોંચશે.
રિટર્ન ફ્લાઈટ, SG382, સવારે 8:00 કલાકે પ્રયાગરાજથી ઉપડશે અને 9:50 કલાકે અમદાવાદ પહોંચશે.

અમદાવાદથી પ્રયાગરાજ જવા માટેની ફ્લાઈટનું ભાડું 9761 રૂપિયા છે. આ ફ્લાઈટ અમદાવાદથી પ્રયાગરાજ પહોંચાડવા માટે 1 કલાક અને 45 મીનિટ જેટલો સમય લેશે.
જ્યારે પ્રયાગરાજથી અમદાવાદ પરત ફરવા માટે સવારે 8 કલાકની સ્પાઈસજેટની ફ્લાઈટ માટે 8547 રૂપિયા ચુકવવા પડશે. આ ફ્લાઈટ 1 કલાક અને 45 મીનિટ જેટલો સમય લે છે. આ ભાડું સાંજે 4 કલાક 30 મીનિટવાળી ફ્લાઈટ માટે 12220 રૂપિયા દર્શાવે છે.
યાત્રાળુઓ માટે ઉન્નત કનેક્ટિવિટી - આ ફ્લાઇટ્સ શરૂ કરવાનો ઉદ્દેશ્ય મહા કુંભ મેળામાં ભાગ લેનારા યાત્રાળુઓ માટે વધુ સારી કનેક્ટિવિટી પૂરી પાડવાનો છે.
આ ધાર્મિક મેળાવડામાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લેશે તેવી અપેક્ષા સાથે, નવી ફ્લાઇટ સેવા અમદાવાદથી આવતા લોકો માટે મુસાફરીનો અનુકૂળ વિકલ્પ પ્રદાન કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
