ઈસ્કોન બ્રીજ હિટ એન્ડ રન કેસમાં મૃતકોને 4 લાખ, ઘાયલોને 50 હજારના વળતરની CM ભૂપેન્દ્ર પટેલે કરી જાહેરાત
Ahmedabad Hit and Run: અમદાવાદના ઈસ્કોન બ્રીજ પર બુધવારે મોડી રાતે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં 9 લોકોના મોત નીપજ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકો અને ઘાયલો માટે વળતરની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યુ કે અમદાવાદ બ્રીજ પર બુધવારે રાતે થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. અકસ્માતમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરુ છુ. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રુપિયા અને ઘાયલોને 50 હજાર રુપિયાની સહાય કરશે.

તમને જણાવી દઈએ કે અમદાવાદમાં બુધવારે મોડી રાતે ઈસ્કોન બ્રીજ પર ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોના કરુણ મોત નીપજ્યા છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગના વિદ્યાર્થીઓ અને કૉન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન પણ સામેલ છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઈસ્કોન બ્રીજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત થયો હતો. જેને જોવા માટે ભીડ એકઠી થયેલી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ પાસેથી પૂરપાટ ઝડપે આવતી લક્ઝુરીયસ જેગુઆર કારે આ ટોળા પર કાર ચડાવી દીધી હતી.
જેગુઆરની ટક્કર એટલી ભયાનક હતી કે ટોળામાં ઉભેલા લોકો હવામાં ફંગોળાઈ 25થી 30 ફૂટ દૂર પડ્યા હતા. ઘટના સ્થળ પર જ 6 લોકોના મોત થયા હતા. જ્યારે 3 લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા બાદ તેમના મોત નીપજ્યા હતા.
મળતી માહિતી મુજબ અકસ્માત કરનાર કાર ચાલક યુવક ગોતાના કુખ્યાત પ્રજ્ઞેશ પટેલનો દીકરો તથ્ય પટેલ છે. આરોપીના પિતા પ્રજ્ઞેશ પટેલની અગાઉ પોલીસે ધરપકડ કરી હતી. 2020માં રાજકોટ ગેંગરેપ કેસમાં તે સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000 ની સહાય કરશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 20, 2023
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
