'મિર્ઝાપુર' વેબસીરિઝના નિર્દેશકો અને લેખકોની ધરપકડ પર અલાહાબાદ હાઈકોર્ટે લગાવી રોક
અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે ચર્ચિત વેબસીરિઝ 'મિર્ઝાપુર'ના નિર્દેશકો અને લેખકોની ધરપકડ પર રોક લગાવી દીધી છે.
બૉલિવુડ સમાચારઃ અલાહાબાદ ઉચ્ચ ન્યાયાલયે ચર્ચિત વેબસીરિઝ 'મિર્ઝાપુર'ના નિર્દેશકો અને લેખકોની ધરપકડ પર રોક લગાવી દીધી છે. તમને જણાવી દઈએ કે તેમની સામે મિર્ઝાપુર શહેરના 'અયોગ્ય અને અશોભનીય ચિત્રણ'નો આરોપ લગાવીને મિર્ઝાપુર જિલ્લામાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આની પહેલી સીઝનને કરણ અંશુમન અને ગુરમીત સિંહે નિર્દેશિત કરી હતી જ્યારે બીજી સિઝનનુ નિર્દેશન એકલા ગુરમીત સિંહે કર્યુ છે. આ ઉપરાંત આ પહેલી સિઝનના લેખક વિનીત કૃષ્ણા છે જ્યારે બીજી સિઝનનુ લેખન પુનીત કૃષ્ણાએ કર્યુ છે. ગુરુવારે અંશુમન, ગુરમીત, પુનીત અને વિનીતની રિટ અરજી પર સુનાવણી કરીને જસ્ટીસ પ્રીતિંકર દિવાકર અને દીપક વર્માની એક ખંડપીઠે ઉત્તર પ્રદેશ સરકાર અને મામલામાં ફરિયાદકર્તાને નોટિસ જાહેર કરી અને કેસમાં પોતાનો જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા.

મિર્ઝાપુર જિલ્લાના તેમની સામે એફઆઈઆર અનુસાર 29 જાન્યુઆરીએ અદાલતે વેબ સીરિઝના નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિંધવાનીની ધરપકડ પર રોક લગાવી દીધી હતી. વળી, ગુરુવારે એક નિર્દેશ પાસ કરીને કોર્ટે સ્પષ્ટ કર્યુ કે કેસની તપાસ પણ આગળ વધશે અને અરજીકર્તા તપાસમાં સહયોગ કરશે અને અરજીકર્તાઓના તપાસમાં સહયોગ ન કરવાની સ્થિતિમાં રાજ્ય આદેશને બદલવા માટે આવેદન કરી શકે છે. અદાલતે આ કેસની આગલી સુનાવણી માટે ફિલ્મના નિર્માતાઓ સાથે સંબંધિત રિટ અરજી સાથે સૂચિબદ્ધ કરવાના નિર્દેશ આપ્યા. તમને જણાવી દઈએ કે મિર્ઝાપુર સીરિઝના નિર્માતાઓ પર કલમ 295-એ(જાણીજોઈને અને દૂર્ભાવનાપૂર્ણ કૃત્ય જેનો ઉદ્દેશ કોઈ પણ વર્ગની ધાર્મિક ભાવનાઓને અપમાનિત કરવાનો છે) અને આઈપીસીની અન્ય કલમો અને સૂચના તેમજ પ્રોદ્યોગિકી એક્ટ 67-એ હેઠળ એફઆઈઆ નોંધવામાં આવી હતી.
એફઆઈઆરમાં મુખ્ય આરોપ એ લગાવવામાં આવ્યો છે કે મિર્ઝાપુરના નિર્માતાઓએ શહેરનુ અયોગ્ય અને અશોભનીય ચિત્રણ કરીને લોકોની ધાર્મિક, સામાજિક અને ક્ષેત્રીય ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને દુશ્મનીના વિચારોને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ રીતની વેબસીરિઝનુ નિર્માણ યોગ્ય વિચાર-વિમર્શ બાદ કરવામાં આવ્યુ છે. તેણે સમાજને એટલો પ્રભાવિત કર્યો છે કે ગેંગના લીડરને તેના દોસ્તોએ કાલીન ભૈયા કહેવાનુ શરૂ કરી દીધુ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
