કપિલ શર્મા શૉથી બહાર કરવા પર જાણો શુ બોલ્યા સિદ્ધુ?
પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ હાલમાં પુલવામાંમાં થયેલા આતંકી હુમલા અંગે પોતાના નિવેદનને કારણે ઘેરાયેલા છે.
પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ હાલમાં પુલવામાંમાં થયેલા આતંકી હુમલા અંગે પોતાના નિવેદનને કારણે ઘેરાયેલા છે. આ દરમિયાન ટ્વિટર પર #boycottsiddhu હેઝ ટેગ લગાવીને તેનો ખુબ જ વિરોધ કરવામાં આવ્યો છે. લોકો તેમાં કહેવા લાગ્યા કે સિદ્ધુને કપિલ શર્મા શૉથી બહાર કાઢવામાં આવે, નહીં તો તેઓ શૉને બાયકોટ કરશે. તેવામાં ખબર આવી કે સોનીએ સાચે જ સિદ્ધુને શૉથી બહાર કરી દીધા છે. પરંતુ આ બાબતે જયારે સિદ્ધુને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે ચેનલ ઘ્વારા તેમને આ બાબતે કોઈ વાત નથી કરવામાં આવી.
આ પણ વાંચો: પુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા

અર્ચના પૂરણ સિંહએ સિદ્ધુની જગ્યા લીધી?
ખબર આવી છે કે ટ્વિટર પર #boycottsiddhu હેઝ ટેગ ચાલ્યા પછી ચેનલે સિદ્ધુને શૉથી બહાર કરી દીધા. એટલું જ નહીં પરંતુ તેની જગ્યા અર્ચના પૂરણ સિંહને આપવામાં આવી. પરંતુ સિદ્ધુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ચેનલના આ નિર્ણય વિશે કોઈ જ જાણકારી નથી અને ચેનલ ઘ્વારા તેમની સાથે આ બાબતે કોઈ વાતચીત પણ નથી કરવામાં આવી.

પુલવામાં હુમલામાં સિદ્ધુએ આવું નિવેદન આપ્યું હતું
પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલા અંગે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. વળી, ઘણી મોટી હસ્તીઓ પણ આ મામલે નિવેદન આપી રહી છે. આ કડીમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ હતુ કે ‘શું અમુક લોકોની કરતૂત માટે સમગ્ર દેશને જવાબદાર ગણી શકાય છે. આતંકવાદીઓનો કોઈ દેશ નથી હોતો, કોઈ ધર્મ નથી હોતો અને કોઈ જાત નથી હોતી.' સિદ્ધુના આ નિવેદન પછી લોકો ભડકી ઉઠ્યા અને આ હુમલામાં પાકિસ્તાનની નિંદા નહીં કરવા બદલ તેઓ સિદ્ધુની દેશભક્તિ પર સવાલ કરવા લાગ્યા.

ભાજપા નેતાએ સિદ્ધુને પાયલ મોકલી
સિદ્ધુના નિવેદન અંગે ભાજપ તરફથી પણ સતત હુમલા થઈ રહ્યા છે. અહીં સુધી કે ભાજપ નેતા તજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ, 'સિદ્ધુજી તમારા માટે પાયલ મોકલી છે ભેટમાં, પહેરીને પોતાના યાર દિલદાર ઈમરાન ખાનની ધૂન પર નાચો.' બગ્ગાએ સિદ્ધુના ચંદીગઢના સરનામે પાયલ મોકલી છે. એવામાં સિદ્ધુએ વળતો જવાબ આપીને ભાજપ પર હુમલો કર્યો છે. સિદ્ધુએ ભાજપ પર નિશાન સાધીને 20 વર્ષ પહેલાની મસૂદ અઝહરની મુક્તિની યાદ અપાવી. તેમણે કહ્યુ કે, ‘જે લોકો મને દેશદ્રોહી ગણાવી રહ્યા છે એ લોકો બતાવે કે મસૂદ અઝહરને પાકિસ્તાનને કોણે સોંપ્યો હતો? આટલા વર્ષોથી ભાજપ મસૂદને પાછો પકડવા માટે શું કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
