પૂનમ પાંડેના નકલી મોતને લઈને મોટો ખુલાસો, કરી રહી હતી આટલા સમયથી પ્લાનિંગ
બોલિવૂડ અભિનેત્રી પૂનમ પાંડેના નકલી મોતના સમાચારો બાદ હવે લોકોમાં ગુસ્સો છે. આ ગુસ્સા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે.
પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા ત્યારે સમગ્ર ઈન્ટરનેટ પર હલચલ મચી ગઈ હતી. તેના મૃત્યુના સમાચારના એક દિવસ પછી ખુદ સામે આવીને લોકોને ચૌકાવી દીધા.

આ પુરા ઘટનાક્રમમાં પૂનમ પાંડે સારી રીતે જાણતી હતી કે લોકો તેને ખરીખોટી સંભળાવશે. અભિનેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે આ કરવાનો તેનો હેતુ સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો હતો. દેશમાં આ વિશે કોઈ વાત નથી. તેણે માત્ર જાગૃતિ ફેલાવવા માટે આ આખી મોતની રમત રમી.
આ દરમિયાન વધુ એક ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ પાંડેએ તેના મૃત્યુના સમાચારનું ડ્રામા ઘણા સમય પહેલા રચ્યું હતું. આ બધું કેવી રીતે અને ક્યારે કરવું તે પૂનમ પાંડે સારી રીતે જાણતી હતી. ઘણા મહિનાઓથી તે તેના નકલી મૃત્યુની તૈયારીમાં વ્યસ્ત હતી.
આ નાટકની તૈયારી કરતી વખતે પૂનમનો ઉદ્દેશ્ય સર્વાઇકલ કેન્સર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો બિલકુલ નહોતો. શુક્રવારે પૂનમના ફેક ડેથની પોસ્ટ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી સામે આવી હતી. મૃત્યુનું કારણ સર્વાઇકલ કેન્સર હોવાનું જણાવાયું હતું. જો કે, 24 કલાક પછી પૂનમે પોતે એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે તે જીવિત છે.
પૂનમે એક વેબસાઈટનો ચાહકોને પરિચય પણ કરાવ્યો. તેણીનો દાવો છે કે આ વેબસાઈટ કેન્સર પીડિતોની મદદ માટે બનાવવામાં આવી છે. પૂનમે તેના કૃત્યને નાણામંત્રી નિર્મલા સીતારમણના સર્વાઇકલ કેન્સર અભિયાન સાથે જોડ્યું.
એક દિવસ બજેટમાં સર્વાઇકલ કેન્સરની રસી વિશે ચર્ચા થાય છે અને બીજા દિવસે પૂનમ સર્વાઇકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવા માટે તેના મૃત્યુનું નાટક રચે છે.
એવું બિલકુલ નથી કે પૂનમનો હેતુ સર્વાઈકલ કેન્સર વિશે લોકોને જાગૃત કરવાનો હતો. તમને જણાવી દઈએ કે ડોમેન રજીસ્ટ્રેશન રેકોર્ડ દર્શાવે છે કે પૂનમની વેબસાઈટ 18 જુલાઈ 2023ના રોજ રજીસ્ટર થઈ હતી. સ્પષ્ટ છે કે તે મહિનાઓથી તેના નકલી મૃત્યુની યોજનામાં વ્યસ્ત હતી. સર્વિકલ કેન્સરને આ નાટક સાથે કોઈ લેવાદેવા નથી.












Click it and Unblock the Notifications
