એઈમ્સનો રિપોર્ટ સુશાંત પરિવારના વકીલે ફગાવ્યો, ચેતન ભગત બોલ્યા - પુરાવા લાવો
ચેતન ભગતે કહ્યુ કે જો વકીલ પાસે પોતાના દાવાના સમર્થનમાં પુરાવા હોય તો તેને રજૂ કરવા જોઈએ.
નવી દિલ્લીઃ બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ જે રીતે એઈમ્સના રિપોર્ટે હત્યાના એંગલને ફગાવી દીધો છે તે બાદ એઈમ્સના મેડીકલ રિપોર્ટને સુશાંતના પરિવારના વકીલે સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારબાદ આ સમગ્ર મામલે લેખક ચેતન ભગતે કહ્યુ કે જો વકીલ પાસે પોતાના દાવાના સમર્થનમાં પુરાવા હોય તો તેને રજૂ કરવા જોઈએ. ચેતન ભગતે સુશાંતના મોત બાદ ન્યૂઝ ચેનલ પર આ સમગ્ર મુદ્દા વિશે જે રીતે રિપોર્ટીંગ થયુ તેને તમાશો ગણાવ્યો છે.

વકીલ પર ચેતને કર્યો કટાક્ષ
ચેતન ભગતે કહ્યુ કે હું ક્યારેય પણ એઈમ્સમાં નથી ગયો પરંતુ તમે દાવો કરી રહ્યા છો કે તે ભ્રષ્ટ છે. આ અમુક મુશ્કેલ જગ્યાઓમાંની એક છે જ્યાં નોકરી મળવી સરળ નથી અને ના સરળતાથી એડમિશન મળે છે. આ એવુ જ છે જેમ કે તમ કહેતા હોય કે મારી આઈઆઈટી ભ્રષ્ટ છે. હું બહુ નારાજ થઉ છુ, મને પુરાવા બતાવો. સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહ પર કટાક્ષ કરતા ચેતન ભગતે કહ્યુ કે તે આવુ માત્ર એટલા માટે કહી રહ્યા છે કારણકે એઈમ્સનો રિપોર્ટ તેમની મરજીથી નથી આવ્યો માટે તે ખોટો હશે એટલે કે તમે જ માત્ર ઈમાનદાર છો.

સીબીઆઈને લખ્યો પત્ર
તમને જણાવી દઈએ કે એઈમ્સના રિપોર્ટ પર સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે સીબીઆઈને એક પત્ર લખ્યો છે અને આ કેસમાં ફૉરેન્સિક ટીમને મોકલવાની માંગ કરવામાં આવી છે. પત્રમાં વિકાસ સિંહે કહ્યુ કે રાજપૂતના પરિવારે ફૉરેન્સિકનો રિપોર્ટ મેળવવાની તમામ કોશિશો કરી પરંતુ ડૉક્ટર સુધીર ગુપ્તા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે ડૉક્ટર ગુપ્તા એઈમ્સની પેનલના પ્રમુખ છે જેમણે સુશાંતના મોત બાદ આ કેસમાં હત્યાના એંગલની તપાસ કરી હતી. એઈમ્સ તરફથી 29 સપ્ટેમ્બરે જે રિપોર્ટ જમા કરાવવામાં આવ્યો છે તેમાં કહેવામાં આવ્યુ છે કે રાજપૂતના શરીર પર કોઈ પણ પ્રકારના ઘાના નિશાન નથી અને ના તેના શરીરમાં કોઈ પ્રકારનો ઝેરીલો પદાર્થ મળ્યો છે.

સીબીઆઈએ જારી કર્યુ હતુ નિવેદન
ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ)ના ફૉરેન્સિક વિભાગે કેન્દ્રીય તપાસ બ્યુરોને પોતાના રિપોર્ટમાં સ્પષ્ટ કરી દીધુ છે કે બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનુ મોત હત્યાથી નહિ આત્મહત્યાના કારણે થયુ છે. સીબીઆઈ પ્રવકતાએ સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યુ કે સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલી સીબીઆઈ તપાસ હજુ પણ ચાલુ છે અને બધા પાસાંઓને સાવચેતીથી જોવામાં આવી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
