અભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ચેરમેન, સાંસ્કૃતિક મંત્રીએ કર્યુ ટ્વિટ
બૉલિવુડના વરિષ્ઠ અભિનેતા પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા(એનએસડી)ના નવા ચેરમેન ચૂંટવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ બૉલિવુડના વરિષ્ઠ અભિનેતા પરેશ રાવલ નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા(એનએસડી)ના નવા ચેરમેન ચૂંટવામાં આવ્યા છે. સાંસ્કૃતિ મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ગુરુવારે ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે લખ્યુ, 'પ્રખ્યાત કલાકાર પરેશ રાવલજીને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા એનએસડીના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની પ્રતિભાનો લાભ દેશના કલાકારો તેમજ છાત્રોને મળશે. હાર્દિક શુભકામનાઓ.'

તમને જણાવી દઈએ કે 65 વર્ષીય અભિનેતા પરેશ રાવલ ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ની ટિકિટથી અમદાવાદ પૂર્વ સંસદીય ક્ષેત્રના સાંસદ પણ રહી ચૂક્યા છે. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા(એનએસડી)ના અધ્યક્ષ તરીકે તેમની નિયુક્તિ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી છે. તમને જણાવી દઈએ કે બૉલિવુડમાં અભિનેતા પરેશ રાવલનુ બહુ મોટુ યોગદાન છે, તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. આ સાથે જ પરેશ રાવલ પદ્મશ્રી, રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સાથે અન્ય ઘણા અવૉર્ડ પણ જીતી ચૂક્યા છે.
પરેશ રાવલના એનએસડીના ચેરમેન ચૂંટાવાની માહિતી કેન્દ્રીય સાંસ્કૃતિક રાજ્યમંત્રી પ્રહલાદ સિંહ પટેલે આપી છે. તેમણે આ નવી જવાબદારી માટે બૉલિવુડ અભિનેતાને શુભકામનાઓ પણ આપી છે. તમને જણાવી દઈએ કે પરેશ રાવલ પહેલા એનએસડીના પ્રમુખ જાણીતા રાજસ્થાની કવિ અર્જૂન દેવ ચરણ સિંહ હતા. અર્જૂન દેવને આ જવાબદારી વર્ષ 2018માં સોંપવામાં આવી હતી. હવે પરેશ રાવલના અધ્યક્ષ ચૂંટાવા પર તેમને બૉલિવુડ અને રાજકીય જગતમાંથી અઢળક શુભકામનાઓ મળી રહી છે.
એનએસડીના અધિકૃત ટ્વિટર હેન્ડલથી પણ પરેશ રાવલને શુભકામનાઓ આપવામાં આવી છે. એનએસડીએ લખ્યુ કે અમને એ જણાવતા ખુશી થઈ રહી છે કે ભારતના માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પ્રસિદ્ધ અભિનેતા અને પદ્મ શ્રી પરેશ રાવલને એનએસડીના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એનએસડી પરિવાર આ લેજન્ડનુ સ્વાગત કરે છે, તે પોતાના માર્ગદર્શનમાં એનએસડીને નવી ઉંચાઈએ પહોંચાડે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
