Vidoe: કંગનાએ જણાવ્યુ પ્રભુ રામ કેમ છે મહાન, શેર કરી પોતાની સ્મોકિંગવાળી સ્ટોરી
બેબાક નિવેદનો માટે ચર્ચિત રહેતી કંગના રનોતે રામ નવમીના દિવસે એક વીડિયો શેર કર્યો હતો કે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
બેબાક નિવેદનો માટે ચર્ચિત રહેતી કંગના રનોતે રામ નવમીના દિવસે એક વીડિયો શેર કર્યો હતો કે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેણે પ્રભુ રામ વિશે અમુક વાતો જણાવી છે અને પોતાની એક ખરાબ લત વિશે પણ ખુલાસો કર્યો છે. કંગનાએ વીડિયોમાં કહ્યુ છે કે ભગવાન રામના આદર્શ વ્યક્તિને કંઈ પણ ખોટુ કરવા નથી દેતા.

રામજી આપણી સભ્યતાના સૌથી મહત્વપૂર્ણ પ્રતીક છે
વીડિયોમાં કંગનાએ ભગવાન રામને આપણી સભ્યતાના સૌથી મહત્વપૂર્ણ આઈકૉન ગણાવ્યા છે. ટીમ કંગના રનોતના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવેલ આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે, ‘બધાને રામનવમીની શુભકામનાઓ, જય શ્રીરામ, રામજી આપણી સભ્યતાના સૌથી મહત્વપૂર્ણ પ્રતીક છે.'

‘પ્રભુ શ્રીરામ, શિવની જેમ આદિ-અનંત નથી'
વીડિયોમાં કંગના કહી રહી છે કે દોસ્તો આજે રામલલ્લાનો જન્મદિવસ છે. તે કૃષ્ણની જેમ પ્રોફાઉન્ડ નથી. તે શિવની જેમ આદિ-અનંત નથી. સર્વોપરિ અને સર્વવ્યાપી પણ નથી. પરંતુ ત્યારબાદ પણ તે સૌથી મહત્વપૂર્ણ કેમ છે. આવુ કેમ છે ક્યારેય તમે આ વિશે વિચાર્યુ છે. મે વિચાર્યુ છે અને આના પર કંઈક અધ્યયન કર્યુ છે. હું એમ નથી કહેતી કે મને બધુ ખબર છે, પરંતુ જે મને સમજમાં આવ્યુ છે, તેને તમારી સાથે શેર કરીશ.
રામ આપણી સભ્યતાના સૌથી મહાન પુરુષ માનવામાં આવે છે
કંગનાએ કહ્યુ કે, ‘રામ આપણી સભ્યતાના સૌથી મહાન પુરુષ માનવામાં આવે છે. શ્રીરામે માનવો માટે એક અસામાન્ય વ્યવસ્થા બનાવી જે ત્યાગ પર આધારિત છે, તેમની બનાવેલી આખી સિસ્ટમ માત્ર ત્યાગની આસપાસ ફરે છે, પોતાના જીવનથી પણ માત્ર ત્યાગ કરવાનુ જ શીખવ્યુ છે.'

‘તમે કોઈ પણ વસ્તુથી ખુદને કંટ્રોલ કરવાની તાકાત છીનવી શકો છો'
કંગનાએ પોતાના જીવનનો એ કિસ્સો સંભળાવ્યો જ્યાં તે રામના જીવનથી શીખ લઈને તેણે પોતાની મુશ્કેલી દૂર કરી, તેણે કહ્યુ, ‘જ્યારે હું 19 વર્ષની હતી, ત્યારે ફિલ્મ વો લમ્હેના શૂટિંગ દરમિયાન મને સિગરેટની લત લાગી ગઈ હતી, હું દિવસમાં 10-12 સિગરેટ પીવા લાગી હતી, તે ના મળે તો હું ગાંડી થઈ જતી હતી. સિગરેટ પીવાની સમસ્યા જ્યારે કંગનાએ પોતાના ગુરુને જણાવી તો તે બોલ્યા કે તમે કોઈ પણ વસ્તુથી ખુદને કંટ્રોલ કરવાની તાકાત છીનવી શકો છો, બસ તમારે ત્યાગ કરવો પડશે.'

‘તમે ત્યાગ કરીને પોતાના ચરિત્રને બનાવી શકો છો'
કંગનાના જણાવ્યા મુજબ, ‘તમે ત્યાગ કરીને પોતાના ચરિત્રને બનાવી શકો છો. ઈચ્છો તો ઉપવાસ કરો, મે ધીમે ધીમે સ્મોકિંગ છોડી દીધુ, પછી ધીમે ધીમે દોસ્તો છોડી દીધા જે માત્ર નુકશાન પહોંચાડી રહ્યા હતા. એવા રિલેશનશિપથી પણ દૂર થઈ ગઈ જે મને માત્ર દુઃખ આપી રહી હતી. સમય સાથે હું એ સ્ટેજ પર પહોંચી ગઈ કે હવે મને કોઈ રુલ નથી કરી શકતુ, કંગનાએ જણાવ્યુ કે રામ એટલા માટે પણ મહાન છે કારણકે એક મહાન યોદ્ધા હોવા છતાં પણ તેમણે અહિંસાનો સંદેશ આપ્યો હતો.'












Click it and Unblock the Notifications
