એશ્વર્યા રાય સાથે બ્રેકઅપ અંગે વિવેક ઓબેરોયનું છલકાયું દર્દ, મારૂ કરિયર બર્બાદ થઇ ગયું...
Vivek Oberoi Aishwarya Rai Breakup: બોલીવુડ એક્ટર વિવેક ઓબેરોયે હવે ફિલ્મોની સાથે સાથે OTT પર પણ પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી લીધું છે, પરંતુ આ પહેલા તેની પર્સનલ લાઈફના કારણે તેની કરિયર બરબાદ થઈ ગઈ અને તેને ફિલ્મો મળવાનું બંધ થઈ ગયું હતું.
જો વિવેક ઓબેરોયના અંગત જીવનની વાત કરીએ, તો આજે પણ તેનું નામ સૌથી વધુ ઐશ્વર્યા રાય સાથે જોડાયેલું છે. તેમના સંબંધો કોઈનાથી છુપાયેલા ન હતા.
કહેવાય છે કે, તેમના અલગ થવાનું કારણ ઐશ્વર્યાનો એક્સ બોયફ્રેન્ડ સલમાન ખાન હતો. વિવેક ઓબેરોયે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન બ્રેકઅપ વિશે ખુલીને વાત કરી હતી.
વિવેક ઓબેરોયે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું કે, મારા જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે ઇન્ડસ્ટ્રીના ઘણા પાવરફુલ લોકો મારી કરિયરને બરબાદ કરવા માંગતા હતા.
પછી મારી ફિલ્મ શૂટઆઉટ એટ લોખંડવાલા આવી અને આ ફિલ્મમાં મારા અભિનયના ખૂબ વખાણ થયા. મને તેના માટે એવોર્ડ પણ મળ્યો હતો. આમ છતાં મારી પાસે કોઈ કામ ન હતું. હું લગભગ એકથી દોઢ વર્ષ સુધી ઘરે બેઠો હતો, અને મારી પાસે કોઈ ફિલ્મની ઓફર ન હતી.

જ્યારે વિવેક ઓબેરોયને પૂછવામાં આવ્યું કે, શું તેની કારકિર્દી ઐશ્વર્યા રાય સાથેના બ્રેકઅપને કારણે બની? તેના જવાબમાં અભિનેતાએ કહ્યું, હું આના પર કંઈપણ કહેવા માંગતો નથી. કારણ કે તે બધું સમાપ્ત થઈ ગયું છે,
પરંતુ હું બીજા બધાને ચેતવવા માંગુ છું કે, જો તમારી પાસે ટેલેન્ટ છે, તો તેને કોઈના કારણે વેડફશો નહીં. જો તમારો પાર્ટનર તમારી પ્રોફેશનલ લાઈફમાં સમસ્યા ઉભી કરી રહ્યો છે, તો તે ખોટું છે. ફક્ત તમારા કામ પર ધ્યાન આપો.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાથે બ્રેકઅપ બાદ ઐશ્વર્યા રાયે વિવેક ઓબેરોયને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જેના કારણે ઘણો હોબાળો થયો હતો, જોકે બાદમાં બંને અલગ થઈ ગયા હતા.
આ પછી ઐશ્વર્યા રાયે વર્ષ 2007માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. વિવેકે પણ 2010માં પ્રિયંકા આલ્વા સાથે લગ્ન કર્યા હતા. હવે બંને પોતાના લગ્ન જીવનમાં ખુશ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
