હિન્દી સિનેમાના શોમેન કહેવાતા હતા એક્ટર-ડિરેક્ટર રાજ કપૂર
મેરા નામ જોકર, સંગમ, અનારી, જીસ દેશ મેં ગંગા બહેતી હૈ જેવી ઘણી હિટ ફિલ્મો આપનાર રાજ કપૂરે માત્ર 10 વર્ષની ઉંમરે ફિલ્મ ઈન્કિલાબથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. પિતા પૃથ્વીરાજ કપૂરને કોણ નથી ઓળખતું? રાજ કપૂરનો જન્મ 14 ડિસેમ્બર 1924ના રોજ પેશાવરમાં થયો હતો.
તેમનું નામ રણબીર રાજ કપૂર હતું પરંતુ પછીથી તેઓ રાજ કપૂર તરીકે ઓળખાવા લાગ્યા. રાજ કપૂરે 1946ની ફિલ્મ 'વાલ્મિકી', 'નારદ ઔર અમર પ્રેમ' (1948)માં ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.

રાજ કપૂરને તેમના પિતા પૃથ્વીરાજ કપૂરે દિગ્દર્શક કેદાર શર્માની ફિલ્મોના સેટ પર ક્લેપર બોય તરીકે કામ કરવાનું કહ્યું હતું. રાજ કપૂરે પણ પિતાની વાત માનીને આ કામ શરૂ કર્યું હતું. તે સમયે 'વિષકન્યા' ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન રાજ કપૂરનો ચહેરો અકસ્માતે કેમેરાની સામે આવી ગયો. ભૂલ સુધારવાની ઉતાવળમાં, રાજ કપૂરનું ક્લૅપ બોર્ડ દૃશ્યમાં અભિનેતાની દાઢીમાં ફસાઈ ગયું, જેના કારણે પાત્રની દાઢી નિકળી ગઈ હતી.
આ વાત પર ડાયરેક્ટર કેદાર શર્મા ખૂબ ગુસ્સે થઈ ગયા. તેણે રાજ કપૂરને જોરદાર થપ્પડ મારી. જોકે, બાદમાં તેને આ વાતનો પસ્તાવો પણ થયો હતો. પોતાની ભૂલ સુધારવા માટે કેદાર શર્માએ રાજ કપૂર સાથે ફિલ્મ 'નીલકમલ' સાઈન કરી. અહીંથી જ રાજ કપૂરની અભિનય કારકિર્દીનો પ્રારંભ થયો હતો.
રાજ કપૂરની ફિલ્મ 'આવારા' સોવિયત યુનિયનમાં રિલીઝ થઈ ત્યારે આવું બન્યું હતું. ફિલ્મનું પ્રખ્યાત ગીત 'આવારા હૂં' સોવિયત યુનિયનમાં દરેકના હોઠ પર હોય તેવું લાગતું હતું. રાજ કપૂરની પુત્રી રિતુ નંદાએ તેના પુસ્તક 'રાજ કપૂર ધ વન એન્ડ ઓનલી શોમેન'માં આ વિશે વિગતવાર લખ્યું છે.
તેમણે લખ્યું છે કે જ્યારે નેહરુ તેમની પ્રથમ સોવિયેત મુલાકાતે ગયા હતા, ત્યારે ભીડ તેમને જોઈને 'આવારા હૂં'ની બૂમો પાડતી હતી. એક રીતે જોઈએ તો આ રાજ કપૂરના ક્રેઝની અસર હતી. રિતુએ ઉલ્લેખ કર્યો કે તે સમયે સોવિયત સંઘના વડાપ્રધાન બુલ્ગનિન હતા. નેહરુ પછી એક કાર્યક્રમમાં જ્યારે બલ્ગેનિનનો બોલવાનો વારો આવ્યો ત્યારે તેમણે 'આવારા હૂં' ગીત ગાયું.
ફિલ્મની વાર્તામાં, રાજ કપૂર દ્વારા ભજવાયેલું પાત્ર તેની માતા સાથે ઝૂંપડપટ્ટીમાં રહે છે, જેને તેના શ્રીમંત પતિ (પૃથ્વીરાજ કપૂર) દ્વારા શંકાના આધારે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે. શશિ કપૂરે આ ફિલ્મમાં રાજ કપૂરનું યુવા પાત્ર ભજવ્યું હતું. રિતુ તેના પુસ્તકમાં લખે છે કે ફિલ્મ 'આવારા'ની વાર્તાનો વિષય વર્ગ ભેદભાવ હતો. 'આવારા' ખ્વાજા અહમદ અબ્બાસ દ્વારા લખવામાં આવી હતી.
24 વર્ષની ઉંમરે 'આગ' ફિલ્મથી તેની દિગ્દર્શનક્ષેત્રની શરૂઆત થઈ હતી. પડદા પર રાજ કપૂરની પ્રથમ મુખ્ય ભૂમિકા આગ (1948) માં હતી, જે તેમણે પોતે જ નિર્મિત અને દિગ્દર્શિત કરી હતી. આ પછી રાજ કપૂરના મગજમાં પોતાનો સ્ટુડિયો બનાવવાનો વિચાર આવ્યો અને 1950માં તેમણે ચેમ્બુરમાં ચાર એકર જમીન લઈને આરકે સ્ટુડિયોની સ્થાપના કરી.
રાજ કપૂરે 'બરસાત', 'શ્રી 420', 'જાગતે રહો' અને 'મેરા નામ જોકર' જેવી સફળ ફિલ્મોનું નિર્દેશન, લેખન અને અભિનય કર્યો હતો. રાજ કપૂરને 1987માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વર્ષ 1960 માં, તેમને ફિલ્મ અનારી માટે અને 1962 માં ફિલ્મ જીસ દેશ મેં ગંગા બહેતી હૈ માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 1971માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. મહાન અભિનેતાએ 2 જૂન 1988ના રોજ નવી દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા.












Click it and Unblock the Notifications
