Income Tax Return : હવે માત્ર 5 ટકા જ ભરવો પડશે ટેક્સ, સરકારે જનતાને આપી ભેટ
Income Tax Return : સરકાર તરફથી લોકોને ફાયદા થાય તેવી સ્કિમ ચલાવવામાં આવી છે. આ યોજના દ્વારા લોકોને અલગ અલગ પ્રકારની રાહત આપવામાં આવે છે.
હવે મોદી સરકાર તરફથી લોકોને એક મોટી ભેટ આપવામાં આવી છે. જે એપ્રિલ મહિનાથી લાગુ પણ થઇ ચુકી છે. આ યોજનાથી કરોડો લોકોને ટેક્સ ભરવામાંથી મુક્તિ મળશે.

આવક વેરો
બજેટ 2023 માં, મોદી સરકાર વતી નાણા મંત્રી નિર્મલા સીતારમણે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં ફેરફારની જાહેરાત કરી હતી.
આ દરમિયાન સરકાર દ્વારા નવા ટેક્સ સિસ્ટમમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં લોકોને ટેક્સમાં પણ રાહત આપવામાં આવી છે. આ સાથે ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.
ટેક્સ સ્લેબ
નવી કર વ્યવસ્થામાં અગાઉ 2.5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો ન હતો અને તે પછી 2.5 લાખથી 5 લાખ રૂપિયાની આવક પર પાંચ ટકા ટેક્સ ચૂકવવો પડતો હતો.
આવા સમયે બજેટ 2023માં જાહેરાત કરવામાં આવી હતી કે, નવી કર વ્યવસ્થા હેઠળ ટેક્સ ફાઇલ કરવા પર 3 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ નિયમ પણ એપ્રિલ 2023થી અમલમાં આવ્યો છે.
ટેક્સ
આ સિવાય જે લોકોની વાર્ષિક આવક રૂપિયા 3 લાખથી રૂપિયા 6 લાખની વચ્ચે છે, તેમણે નવા કર વ્યવસ્થા હેઠળ ટેક્સ ફાઇલ કરવા પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. મોદી સરકારના આ નિર્ણયની કરોડો લોકોએ પ્રશંસા કરી છે.
બીજી તરફ, જો કોઈ જૂની ટેક્સ સિસ્ટમમાંથી ટેક્સ ફાઈલ કરે છે, તો 2.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. જોકે, જો કોઈ વ્યક્તિ જૂની ટેક્સ સિસ્ટમમાંથી ટેક્સ ફાઈલ કરે છે, તો લોકોએ વાર્ષિક 2.5 લાખથી 5 લાખ રૂપિયાની આવક પર 5 ટકા આવક વેરો ચૂકવવો પડશે.












Click it and Unblock the Notifications
