સરકાર પ્રદર્શનકારીઓ કરતા બળાત્કારીઓને વધારે પ્રેમ કરે છે: રામદેવ

દિવસે દિવસે દિલ્હી ગેંગરેપ મામલો જોર પકડી રહ્યો છે અને સાથે સાથે દેશની કેન્દ્ર સરકારનો ફફડાટ પણ વધી રહ્યો છે. દિવસેને દિવસે દિલ્હી ખાતે પ્રદર્શનકારીઓની ભીડ વધતી જાય છે. યોગગુરુ બાબા રામદેવ પણ આજે આ પ્રદર્શનનો ભાગ બનવા પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા. તેમની સાથે પૂર્વ જનરલ વી.કે સિંહ પણ હાજર હતા. બાબાને પોલીસે ઇન્ડિયા ગેટ નહીં જવા દેતા તેમણે જંતરમંતર ખાતે લોકોનું સંબોધન કર્યું હતું.
બાબા રામદેવ અને તેમના સમર્થકો પહેલા જંતરમંતર ખાતે પહોંચ્યા હતા. બાબાએ જંતર મંતર ખાતે લોકોને સંબોધન કર્યું હતું અને જણાવ્યું હતું કેન્દ્રની કોંગ્રેસ સરકાર બળાત્કારીઓને શા માટે સાવરી રહી છે. સુષમા સ્વરાજે પણ બળાત્કારીઓને ફાંસીની સજા કરવાની વિનંતી કરી હતી છતાં સોનિયા ગાંધી શા માટે આ દિશામાં કોઇ પગલા નથી લેતી.
તેમણે જણાવ્યું કે સોનિયા ગાંધીની સરકાર પ્રદર્શનકારીઓને પ્રદર્શન પણ કરવા દેતી નથી અને તેમની પર બળ પ્રયોગ કરે છે, લાઠીચાર્જ કરે છે, આંસુગેસના સેલ છોડે છે. આ સરકાર પ્રદર્શનકારીઓ કરતા બળાત્કારીઓને વધારે પ્રેમ કરે છે. આ સરકાર બળાત્કારીઓને ફાંસી આપવામાં કેમ અચકાય છે. જંતરમંતર ખાતે લોકોને સંબોધ્યા બાદ બાબા રામદેવ પોતાના સમર્થકોની સાથે પોલીસનો સુરક્ષાઘેરો તોડીને ઇન્ડિયા ગેટ પહોંચી ગયા હતા.
આજે સવારે પ્રદર્શનકારીઓને મળવા માટે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઇન્ડિયા ગેટ આગળ આવ્યા હતા, અને તેમની સાથે વાતચીત કરી હતી. જોકે પ્રદર્શનકારીઓની ઉગ્ર માંગને કારણે મુલાકાત નિષ્ફળ રહી હતી. મુલાકાત નિષ્ફળ રહેવાના કારણે કેન્દ્ર સરકારે ઇન્ડિયાગેટ ખાતે ધારા 144 લાગુ કરી દીધી હતી. સરકારે પોલીસ અને જવાનોને વિખેરવા માટે ટીયર ગેસના સેલ અને લાઠીચાર્જ કરાયો હતો. હાલમાં ઇન્ડિયા ગેટ આગળ પોલીસ જવાનો અને પ્રદર્શનકારીઓ વચ્ચે હળવો પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
પ્રદર્શનકારીઓ દિલ્હીમાં ચાલતી બસમાં વિદ્યાર્થિની પર થયેલા સામુહિક બળાત્કારીઓને કડકમાં કડક ફાંસીની સજા કરવાની માંગ કરી રહ્યા છે તેમજ આવી ઘટના ના ઘટે તેના માટે તેઓ કડક કાનૂન લાવવાની માંગ કરી રહ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
