ભાજપે નકારી કાઢ્યો પ્રશાંત ભૂષણનો પ્રસ્તાવ
નવી દિલ્હી, 10 ડિસેમ્બર: આમ આદમી પાર્ટી (આપ)ના નેતા પ્રશાંત ભૂષણ દ્વારા ભાજપને મુદ્દાઓ આધારિત સમર્થન આપવાના નિવેદનને ભાજપે નકારી કાઢ્યો છે. આપ અહેલાં આપે પણ તેને પ્રશાંત ભૂષણનું વ્યક્તિગત નિવેદન ગણાવી નકારી કાઢ્યો હતો. આપે સ્પષ્ટ કહ્યું છે કે તે આ મુદ્દા પર પોતાનું જુના વલણ પર યથાવત છે. આ નો તે કોઇનું સમર્થન લેશે ના તો તે કોઇને સમર્થન આપશે. ભાજપે પણ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી દિધું છે. દિલ્હીમાં ભાજપના પ્રસ્તાવિત મુખ્યમંત્રી ડૉ. હર્ષવર્ધનને કહ્યું હતું કે જે બાબત પર પ્રશાંત ભૂષણે પોતાનું નિવેદન આપ્યું છે તે પહેલાંથી જ તેમની પાર્ટીના એજન્ડામાં છે. જો કે તે ભૂષણના નિવેદન પર કોઇ વિચાર કરવાના મૂડમાં નથી.
હર્ષવર્ધને કહ્યું હતું કે ભાજપે શરૂથી જ દિલ્હીને ભ્રષ્ટાચાર મુક્ત કરાવવા, જનલોકપાલ લાવવા અને લોકાયુક્ત જેવા સંવેદનશીલ મુદ્દાઓને પોતાના એજન્ડામાં સામેલ કર્યા છે. જો કે આના પર કોઇના કહેવાથી ફરીથી વિચાર કરી ન શકાય. પ્રશાંત ભૂષણે 29 ડિસેમ્બર સુધી જનલોકપાલ બિલને પાસ કરાવવાની વાત પુનરાવર્તિત કરી હતી.
બીજી તરફ શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે પ્રશાંત ભૂષણની સલાહ સાથે તે સહમત નથી. તેમને કહ્યું હતું કે પહેલાં આપ ભાજપને સમર્થન આપીને સરકાર બનાવે. ત્યારબાદ રાજ્યના કામકાજને સુચારુ રીતે થવા દે. તેમને સ્પષ્ટ કહ્યું હતું કે શરતોના આધારે કામ ન કરી શકાય.

શિવસેના અને ભાજપના વલણ બાદ ફરી એકવાર દિલ્હી રાષ્ટ્રપતિ શાસનની તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ અને ડૉ. હર્ષવર્ધન બંને જ વિપક્ષમાં બેસવાની વાત કહી રહ્યાં છે. હવે આ બાબત પર ઉપરાજ્યપાલનો નિર્ણય કરાશે.
તો બીજી તરફ ભાજપ નેતા રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું હતું કે અમે દિલ્હીમાં સરકાર નહી બનાવીશું. રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું હતું કે અમારી પાસે સરકાર બનાવવાનો આંકડો નથી, એટલા માટે ઉપ રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાનું આમંત્રણ મળતાં પણ અમે સરકાર બનાવીશું નહી.
બીજી તરફ દિલ્હી ભાજપના નેતા વિજય ગોયલે કહ્યું હતું કે અમે સરકાર બનાવવાની સ્થિતીમાં નથી એટલા માટે કિરણ બેદી અને પ્રશાંત ભૂષણની સલાહ પર વિચાર ન કરી શકીએ. તે કયા આધારો પર વાત કરી રહ્યાં છે, એ અમે પણ જાણતા નથી, એટલા માટે તેમની સલાહ પર ધ્યાન આપવું બેઇમાની છે. જ્યાં સુધી ઉપ રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાનો પ્રશ્ન છે તો જોયું જશે, અમે વિચાર કરીશું, પહેલાં આમંત્રણ આવવા દો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
