જન લોકપાલ બિલ પાસ નહી થાય તો રાજીનામું આપી દઇશ: કેજરીવાલ
નવી દિલ્હી, 10 ફેબ્રુઆરી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જન લોકપાલ બિલને પાસ કરાવવાને લઇને પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું કે જો આ બિલ પાસ નહી થાય તો રાજીનામું આપી દઇશ. રવિવારે એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહ્યું હતું કે 'અમારું સત્તામાં રહેવું તેના કરતાં વધુ મહત્વનું છે જન લોકપાલ બિલનું પાસ થવું. જો જન લોકપાલ બિલ પાસ નહી થાય તો અમે રાજીનામું આપી દઇશું.'
અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલાં જ કહ્યું હતું કે તે ભ્રષ્ટાચારના મોટા મુદ્દાઓને લઇને ગમે તે હદે જઇ શકે છે. તેમને કહ્યું હતું કે જોઇ આ મહત્વપૂર્ણ બિલને વિધાનસભાની મંજૂરી નહી મળે તો તેમને પદ પર રહેવાનો કોઇ અધિકાર નથી. કોંગ્રેસની સાથે સાથે ભાજપ પણ આ બિલનો વિરોધ કરી રહી છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'દેશમાંથી ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે, મુખ્યમંત્રીની ખુરશીનું સો વાર બલિદાન કરી શકું છું. જો જન લોકપાલ બિલ અને સ્વરાજ બિલ મંજૂર નહી થાય તો સરકાર પડી જશે. અરવિંદ કેજરીવાલની પાર્ટી આપે મતદારોને વાયદો કર્યો હતો કે તેમાં ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવા માટે જનલોકપાલ બિલ લાવવું મહત્વપૂર્ણ હતું.

તેમણે સંવાદદાતાઓને કહ્યું હતું કે 'દેશમાં સ્વરાજ સ્થાપિત કરવા માટે મુખ્યમંત્રીનું 100 વાર બલિદાન કરી શકાય. હું અહીંયા મુખ્યમંત્રી બનવા માટે આવ્યો છું. હું અહી દેશમાંથી ભ્રષ્ટાચારનો ખાત્મો કરવા માટે આવ્યો છું. તેમને પૂછવામાં આવ્યું હતું કે જનલોકપાલ અને સ્વરાજ બિલના મુદ્દે તે પદ છોડવા માટે તૈયાર છે તો તેમણે કહ્યું હતું કે 'હા હું તૈયાર છું'.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જનલોકપાલ અને સ્વરાજ બિલ દિલ્હી વિધાનસભામાં 13 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. ધારાસભ્ય વિનોદ કુમાર બિન્નીને આપમાંથી સસ્પેંડ કર્યા બાદ 70 સભ્યોવાળી વિધાનસભામાં આપની પાસે 27 સભ્યો બચ્યા છે જ્યારે કોંગ્રેસની પાસે આઠ સભ્યો છે. ભાજપ પાસે 32 ધારાસભ્યો છે.
બીજી તરફ અરવિંદ કેજરીવાલે મહારાષ્ટ્ર સદનમાં અણ્ણા હજારે સાથે મુલાકાત કરી જનલોકપાલ અને સ્વરાજ બિલ વિશે તેમને જાણકારી નથી. અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત બાદ અણ્ણા હજારેએ સંવાદદાતાઓને કહ્યું હતું કે ' જો આ પારિત નહી થાય તો અરવિંદ કેજરીવાલને રાજીનામું આપી દેવું જોઇએ. તેમને આમ કરવું જોઇએ. તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમની રાજીનામું આપવાની ધમકીને સમર્થન કરે છે. પ્રસ્તાવિત જનલોકપાલ બિલ વિશે અણ્ણા હજારેએ કહ્યું હતું કે 'મેં હજી બિલના કાગળ જોયા નથી, પરંતુ તેમણે (કેજરીવાલે) જે કંઇ કહ્યું છે તે સારું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
