પાર્ટીના નિર્માણ બાદ IACના નામનો ઉપયોગ નહી: કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો અણ્ણા હઝારે તેમને આઇએસીના નામનો ઉપયોગ બંધ કરવાનું કહે છે તો તે તેનો ઉપયોગ નહી કરે. તેમને અણ્ણા હઝારે અને તેમના સહયોગીઓના દાવા અંગે પ્રશ્ન કર્યો છે કે તે આઇએસીનું નામ તેમની પાસે જ રહેશે. સામાજિક કાર્યકર્તા કિરણ બેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે આઇએસીનું નામ અણ્ણા હઝારેના સાથે જ રહેશે. અમે આઇએસીના નામથી દાન ઉધરાવીશું. પ્રજા આઇએસીના નામે દાન આપી શકે છે. અરવિંદ કેજરીવાલના સંગઠનનું નામ 'પબ્લિક કાઝ રિર્ચર્સ ફાઉન્ડેશન (પીસીઆરએફ) છે.
અણ્ણા હઝારેએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આઇએસીનું બેંક એકાઉન્ટ કિરણ બેદી, સુનીતા ગોદર અને લેફ્ટિનેંટ કર્નલ બિજેન્દર કોખરના નામે રહેશે. આ બધા નવી સમન્વય સમિતિના સભ્ય છે. શનિવારે અણ્ણા હઝારેની નવી ટીમની બેઠક બાદ સંગઠનના લોકોને ભારપૂર્વક કહ્યું હતું કે આઇએસી નામનું તેમની સાથે રહેશે. કિરણ બેદીએ કહ્યું હતું કે અણ્ણા હઝારેએ સંગઠન છોડ્યું નથી પરંતુ કેજરીવાલના નેતૃત્વવાળી ટીમ રાજકારણમાં પ્રવેશ કરવા માંગતી હતી. તે પાર્ટીના નવા નામની જાહેરાત કરશે, માટે નામને લઇને કોઇ સમસ્યા ઉભી થશે નહી.
સંગઠન તરફથી ગઇકાલે રજૂ કરવામાં આવેલા નિવેદનમાં અણ્ણા હઝારેએ સમન્વય સમિતિની રચના કરી છે જેથી ઇન્ડિયા અગેન્ટ કરપ્શન આંદોલનમાં નવી ઉર્જા ફૂંકી શકાય. તે સમયે સંકેત મળી ગયા હતા કે ઇન્ડિયા તે અગેન્ટ કરપ્શન નામને છોડવા માંગતા નથી. અણ્ણા હઝારેએ ભારતના ભષ્ટ્રાચાર મુક્ત કરવાના સંકલ્પ સાથે દક્ષિણ દિલ્હીના સર્વોદય એન્કવેલમાં પોતાના નવા કાર્યાલયનું ઉદઘાટન કર્યુ છે.
કાર્યાલયના ઉદધાટન બાદ અણ્ણા હઝારેએ કહ્યું હતું કે 'હવે સમય આવી ગયો છે કે ઘરે ઘરે જઇને ભષ્ટ્રાચાર વિરૂદ્ધના સંદેશનો પ્રસાર કરવો જોઇએ. અણ્ણા હઝારે શનિવારે 15 સભ્યોની નવી ટીમની જાહેરાત કરી છે. તેમને મહાત્મા ગાંધીની પુણ્યતિથી 30 જાન્યુઆરીથી દેશભરમાં ભષ્ટ્રાચાર વિરૂદ્ધ અભિયાન શરૂ કરવાની વાત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
