બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓની દુર્ગા પૂજા પંડાલોમાં તોડફોડ, ત્રણના મોત!
બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પ્રસંગે ઉગ્રવાદીઓએ પૂજા પંડાલો અને મંડપોમાં તોડફોડ કરી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે.
ઢાંકા, 14 ઓક્ટોબર : બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા પ્રસંગે ઉગ્રવાદીઓએ પૂજા પંડાલો અને મંડપોમાં તોડફોડ કરી છે. જેમાં ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના સમાચાર છે. બાંગ્લાદેશના કોમિલ્લા જિલ્લામાં દુર્ગા પૂજા પંડાલમાં કુરાનના કથિત અપમાનની અફવાઓ બાદ હિંસા ફાટી નીકળી હતી. આ વિસ્તારમાં હાલ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓએ કહ્યું છે કે કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઇસ્લામીનો દુર્ગા પૂજા પંડાલો સામે હિંસક હુમલાઓ કરવામાં હાથ હોઇ શકે છે. આ હિંસાને જમાત-એ-ઇસ્લામી (JEI) દ્વારા શેખ હસીના સરકારને બદનામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી છે. આ પછી જ કુરાનની કથિત અપવિત્રતાને લઈને કોમી આગ ફાટી નીકળી હતી.

બાંગ્લાદેશ પોલીસે કહ્યું કે, ઘણા મંદિરો, મકાનો અને દુકાનોમાં તોડફોડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક સમુદાયના આગેવાનોએ જણાવ્યું છે કે દુર્ગા પૂજા પ્રસંગે આ વિસ્તારમાં કોમી હિંસાની આ પહેલી ઘટના બની છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર, ઢાંકા અને નવી દિલ્હીના રાજદ્વારીઓના જણાવ્યા અનુસાર મુસ્લિમોના ધાર્મિક ગ્રંથોની કથિત રીતે 13 ઓક્ટોબરના રોજ બપોરે કોડીલામાં એક પંડાલમાં દેવી દુર્ગાની મૂર્તિના પગ પાસે અપવિત્રતા કરવામાં આવી હતી, જે બાદ મંદિરોમાં હુમલા થયા હતા. હાલમાં બાંગ્લાદેશમાં 3 હજારથી વધુ પંડાલોમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
અધિકારીઓએ કહ્યું કે, કુરાનની અફવા સોશિયલ મીડિયા પર ફેલાતાની સાથે જ હિંસા વધુ તીવ્ર બની હતી. સ્થાનિક લોકો દ્વારા નોઆખાલી, ચાંદપુર, કોક્સબજાર, ચટ્ટોગ્રામ, ચાપૈનવાબગંજ, પબના, મૌલવીબજાર અને કુરીગ્રામના નજીકના વિસ્તારોમાં દુર્ગા પૂજા પંડાલોમાં હિંસક હુમલાઓ કરવામાં આવ્યા હતા. જો કે, ઢાંકા, બ્રાહ્મણબારિયા, જશોર અને અન્ય મોટા શહેરોમાં કોઈ હિંસા નોંધાઈ નથી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
