Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત
Donald Trump Speech Highlights: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, "અમેરિકી સૈન્ય ઈરાનમાં પોતાનું ઓપરેશન 'ખૂબ જ જલ્દી' પૂર્ણ કરશે." આ માટે તેમણે બે થી ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. આ સમયગાળા દરમિયાન તેમનું વહીવટીતંત્ર ઈરાની અધિકારીઓ સાથે વાતચીત ચાલુ રાખશે અને સાથે જ પોતાનું હવાઈ અભિયાન પણ ચાલુ રાખશે.

વ્હાઇટ હાઉસમાં એક કાર્યક્રમ દરમિયાન, જ્યારે તેમને 28 ફેબ્રુઆરીથી યુદ્ધ શરૂ થયા પછી ઇંધણના વધતા ભાવની અસર વિશે પૂછવામાં આવ્યું ત્યારે ટ્રમ્પે કહ્યું, 'મારે બસ ઈરાન છોડવું છે, અને અમે તે ખૂબ જ જલ્દી કરીશું. અમેરિકા ટૂંક સમયમાં ઈરાનમાંથી પોતાના સૈનિકો પાછા ખેંચવાનું શરૂ કરશે. આ સંઘર્ષ પૂરો કરવા માટે કોઈ સમજૂતીની જરૂર નથી.'
રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનમાં 'સત્તા પરિવર્તન' (રિજીમ ચેન્જ)નો લક્ષ્યાંક પૂરો થયો છે, તેથી અમેરિકા આ સંઘર્ષને લાંબો ખેંચવા માંગતું નથી. તેમણે યુદ્ધ સમાપ્ત થાય તે પહેલાં સમજૂતીની શક્યતા પણ વ્યક્ત કરી હતી. જોકે, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈરાન સાથેનું યુદ્ધ ખતમ કરવા માટે હજુ સુધી કોઈ સમયમર્યાદા જણાવી નથી.
ઈરાનમાં 'સત્તા પરિવર્તન'નો લક્ષ્યાંક પૂરો થયો - Donald Trump
અમેરિકી કંપનીઓ વિરુદ્ધ ઈરાનની ધમકીઓ પર ટ્રમ્પે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, 'ઈરાને તેમને કઈ વાતની ધમકી આપી? શું તેમણે કહ્યું કે તેઓ તેમને ઉડાવી દેશે? શું તેઓ તેમના પર હુમલો કરશે? તેઓ એવું નહીં કરે. તેઓ તેમના પર પરમાણુ હથિયારથી હુમલો નહીં કરે. તેમાંથી મોટાભાગના લોકો (ઈરાની નેતૃત્વ) પહેલેથી જ મૃત્યુ પામ્યા છે.'
નેતન્યાહુએ હજુ સુધી યુદ્ધ વિરામ અંગે કંઈ કહ્યું નથી
નોંધનીય છે કે ભલે ટ્રમ્પે યુદ્ધ જલ્દી ખતમ કરવાની જાહેરાત કરી હોય, પરંતુ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ હજુ સુધી જંગ પૂરો કરવાની વાત કરી નથી. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર હુમલો કર્યો હતો, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીનું મોત નીપજ્યું હતું.
ખામેનીની પુત્રી, જમાઈ અને પૌત્રી સહિત અનેકના મોત
આ હુમલામાં ખામેનીની પુત્રી, જમાઈ, પુત્રવધૂ, પૌત્રી સહિત અનેક વરિષ્ઠ ઈરાની અધિકારીઓએ પણ જીવ ગુમાવ્યા છે. ખામેનીના અવસાન બાદ તેમના પુત્ર મોજતબા ખામેનીને નવા સર્વોચ્ચ નેતા બનાવવામાં આવ્યા હતા. જોકે, મોજતબા હુમલામાં ઘાયલ થયા હોવાના અહેવાલ હતા, પરંતુ તેઓ અત્યારે ક્યાં છે તેની પુષ્ટિ થઈ શકી નથી.
નેતન્યાહુએ શું કહ્યું?
અમેરિકી ટીવી ચેનલ ન્યૂઝમેક્સ સાથે વાત કરતા વડાપ્રધાન નેતન્યાહુએ સ્પષ્ટ કર્યું કે 'તેઓ ઈરાન સાથે યુદ્ધ ખતમ કરવાની કોઈ તારીખ જાહેર કરવા માંગતા નથી.' તેમણે ઉમેર્યું કે, 'ઈરાન સાથે યુદ્ધ ક્યારે ખતમ થશે તેની કોઈ તારીખ આપવા હું નથી માંગતો. ચોક્કસપણે જંગ અડધાથી વધુ પૂરો થઈ ચૂક્યો છે અને ઈરાનનું ઈસ્લામિક રિપબ્લિક આખરે અંદરથી જ તૂટી ગયું છે.'
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
