Palghar Mob Lynching: મહારાષ્ટ્રમાં રાવણ રાજ, 3 મે બાદ લાખો કરોડો નાગ કૂચ કરશેઃ મહંત નરેન્દ્ર ગિરી
Palghar Mob Lynching: મહારાષ્ટ્રમાં રાવણ રાજ, 3 મે બાદ લાખો કરોડો નાગ કૂચ કરશેઃ મહંત નરેન્દ્ર ગિરી
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના પાલઘરમાં જેવી રીતે ભીડે બે સાધુની હત્યા કરી દીધી તે બાદ સાધૂ સમાજમાં જબરદસ્ત ગુસ્સો જોવા મળી રહ્યો છે. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીએ મહારાષ્ટ્ર સરકાર પર તીખો હુમલો બોલતા કહ્યું કે મહારાષ્ટ્રમાં રાવણની સરકાર છે. કહ્યું કે જો અમને ઉચ્ચિત ન્યાય ના મળ્યો તો લાખો-કરોડો નાગ સાધૂ મહારાષ્ટ્રમાં કૂચ કરશે. જેની સાથે જ નરેન્દ્ર ગિરીએ આ ઘટના પર મહારાષ્ટ્ર પોલીસ અને સરકાર પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે આખરે પોલીસવાળાઓની સામે જ બે સાધુની હત્યા કેવી રીતે કરી દેવામાં આવી.

આખરે આટલી ભીડ કેવી રીતે એકઠી થઈ ગઈ
નરેન્દ્ર ગિરીએ કહ્યુ્ં કે જેવી રીતે રાજ્યમાં લૉકડાઉન છે, છતાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ અને પોલીસ ત્યાં મૂકદર્શક બની રહી. આ દર્શાવે છે કે મહારાષ્ટ્રની પોલીસ સંપૂર્ણપણે અક્ષમ છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં ચોર હોવાના શકમાં ગુરુવારે રાતે ત્રણ લોકોની ભીડે ઢોર માર મારી હત્યા કરી દેવાના મામલામાં રાજ્ય સરકારે ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે. રાજ્યના ગૃહ મંત્રી અનિલ દેશમુખે રવિવારે આ જાણકારી આપી. દેશમુખે આ ઘટનાને કોઈ સાંપ્રદાયિક રંગ ના આપવાની ચેતાવણી આપી છે.

ગૃહમંત્રીએ ટ્વીટ કરી જાણકારી આપી
ગૃહમંત્રી અનિલ દેશમુખે ટ્વીટ કર્યું, સુરત જઈ રહેલ ત્રણ લોકોની પાલઘરમાં હત્યામાં સંલિપ્ત 101 લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. હત્યાના મામલામામં મેં ઉચ્ચ સ્તરીય તપાસનો આદેશ આપ્યો છે, આ ઘટના દ્વારા લોકોમાં નફરત પેદા કરવા માંગે છે તેવા લોકો સામે બાજ નજર રાખવામાં આવી રહી છે, પાલઘરની ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા અને જે લોકોએ હુમલો કર્યો તેઓ અલગ અલગ ધર્મના નહોતા.
|
શું છે સમગ્ર મામલોપાલઘરમાં ગુરુવારે ગ્રામીણોએ ત્રણ લોકોને ચોર સમજી મારી નાખ્યા હતા. મૃતકની ઓળખ 35 વર્ષીય સુશીલગિરી મહારાજ, 70 વર્ષીય ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડેના રૂપમાં થઈ છે, નિલેશ સાદુઓનો ડ્રાઈવર હતો. આ ત્રણ લોકો મુંબઈથી સુરત કોઈ અંતિમ ક્રિયામાં સામેલ થવા જઈ રહ્યા હતા. પાલઘર જિલ્લાના એક ગામમાં 100થી વધુ લોકોની ભીડ એકઠી થઈ તેમના પર ટૂટી પડી. ગ્રામીણોએ પોલીસની ગાડી પર પણ હુમલો કર્યો હતો, ઘટના બાદ બે પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પાલઘરમાં ગુરુવારે ગ્રામીણોએ ત્રણ લોકોને ચોર સમજી મારી નાખ્યા હતા. મૃતકની ઓળખ 35 વર્ષીય સુશીલગિરી મહારાજ, 70 વર્ષીય ચિકણે મહારાજ કલ્પવૃક્ષગિરી અને 30 વર્ષીય નિલેશ તેલગડેના રૂપમાં થઈ છે, નિલેશ સાદુઓનો ડ્રાઈવર હતો. આ ત્રણ લોકો મુંબઈથી સુરત કોઈ અંતિમ ક્રિયામાં સામેલ થવા જઈ રહ્યા હતા. પાલઘર જિલ્લાના એક ગામમાં 100થી વધુ લોકોની ભીડ એકઠી થઈ તેમના પર ટૂટી પડી. ગ્રામીણોએ પોલીસની ગાડી પર પણ હુમલો કર્યો હતો, ઘટના બાદ બે પોલીસ કર્મચારીઓને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
