રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ હિરાબાના અવસાનને લઈને શોક વ્યક્ત કર્યો
પીએમ મોદીના માતા હિરાબા 100 વર્ષના હતા અને ગઈકાલે તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં હિરાબાએ આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.
ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાના નિધનને લઈને દેશભરમાંથી શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પીએમ મોદીને તમામ લોકો સાંત્વના પાઠવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માયાવતી સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીના માતા હિરાબા 100 વર્ષના હતા અને ગઈકાલે તબિયત બગડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. અહીં હિરાબાએ આજે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા હતા.

રાહુલ ગાંધીએ ગઈકાલે હિરાબા બિમાર હોવાની ખબર મળતા ટ્વિટ કરીને સારા થવાની કામના કરી હતી. જો કે આજે સવારે હિરાબાનું અવસાન થતા રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. આ મુશ્કેલ સમયમાં હું તેમને અને તેમના પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.
રાહુલ ઉપરાંત કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ શોક વ્યક્ત કર્યો અને ટ્વિટ કરીને લખ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. ભગવાન દિવંગત પવિત્ર આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને શ્રી @narendramodi અને તેમના પરિવારના તમામ સભ્યોને આ દુઃખની ક્ષણોમાં હિંમત આપે. ઓમ શાંતિ!
બહુજન સમાજવાદી પાર્ટીની અધ્યક્ષા માયાવતીએ પણ શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેનના નિધનના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. તેમના સમગ્ર પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના. કુદરત તેમને અને તેમના તમામ સ્નેહીજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ શોક વ્યક્ત કર્યો હતો અને ટ્વિટ કરીને લખ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરાબેન મોદીના નિધનથી અત્યંત દુખ થયું. તેમની આત્માને શાંતિ મળે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના. ભાવનાત્મક શ્રદ્ધાંજલિ
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
