CBI મારો ફોન પણ છીનવીને લઈ ગઈ, 14 કલાકની રેડ બાદ બોલ્યા મનીષ સિસોદિયા
દરોડા બાદ મનીષ સિસોદિયાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર સીબીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.
નવી દિલ્લીઃ દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે 14 કલાકના દરોડા પછી સીબીઆઈની ટીમ તેમના ઘરેથી નીકળી ગઈ હતી. દરોડા બાદ મનીષ સિસોદિયાએ ભાજપ અને કેન્દ્ર સરકાર પર સીબીઆઈનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ કે સીબીઆઈની ટીમે મારુ લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લીધો છે. સિસોદિયાએ કહ્યુ કે સીબીઆઈ ઉપરથી નિયંત્રિત થઈ રહી છે અને તેના દ્વારા દિલ્લીમાં થઈ રહેલા સારા કામને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે.

દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે સીબીઆઈની ટીમ આવી હતી અને તેમણે આખા ઘરની તપાસ કરી હતી. મારુ કોમ્પ્યુટર અને પર્સનલ મોબાઈલ જપ્ત કરીને લઈ ગયા છે. મેં અને મારા પરિવારે તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે અને વધુ તપાસ થશે તો સહકાર આપીશુ. અમે કંઈ ખોટુ કર્યુ નથી, અમે કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. તેથી અમે ડરતા નથી. તમને જણાવી દઈએ કે સીબીઆઈએ હજુ સુધી મનીષ સિસોદિયાની ધરપકડ કરી નથી. દરોડા પછી સિસોદિયાએ કહ્યુ કે અમે કટ્ટર ઈમાનદાર લોકો છીએ, અમે કંઈ ખોટુ કર્યુ નથી અને ઈમાનદારીથી કામ કરતા રહીશુ. અમે ઈમાનદારીથી કામ કરીને શાળાઓ બનાવી છે, લાખો બાળકોનુ ભવિષ્ય બનાવ્યુ છે, ઈમાનદારીથી કામ કરીને હોસ્પિટલો બનાવી છે, લાખો લોકોની સારવાર કરાવી છે.
તેમણે કહ્યું કે માતા-પિતા અને બાળકોની દુઆઓ છે. કેન્દ્ર સરકાર ઇચ્છે તેટલો દુરુપયોગ કરી શકે છે પરંતુ તે અમને નુકસાન પહોંચાડી શકે નહિ કારણ કે અમે કંઈ ખોટુ કર્યુ નથી. લોકોને સારુ શિક્ષણ, સ્વાસ્થ્ય આપવાનુ કામ ચાલુ રહેશે, દિલ્લી સરકાર રોકાશે નહિ. દિલ્લીના ડેપ્યુટી સીએમે કહ્યુ કે સીબીઆઈએ અત્યારે પૂછપરછ માટે બોલાવ્યા નથી, દરેકનુ વર્તન ખૂબ સારુ હતુ. અમુક ફાઈલો મારી હતી, મારુ લેપટોપ અને મોબાઈલ ફોન લઈ લેવામાં આવ્યા છે.
CBIએ મનીષ સિસોદિયાને FIRમાં પ્રથમ આરોપી બનાવ્યા છે. CBIની આ FIRમાં 15 આરોપી છે. આ એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિનો મામલો છે. આ કેસ 17 ઓગસ્ટે નોંધવામાં આવ્યો છે. CBIએ શુક્રવારે દિલ્લીની દારૂની નીતિમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે દરોડા પાડ્યા હતા. જેનો આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. સીબીઆઈએ સિસોદિયાના દિલ્લીના નિવાસસ્થાન અને 7 રાજ્યોમાં 20 અન્ય સ્થળોએ સર્ચ હાથ ધર્યુ હતુ. ભ્રષ્ટાચારનો કેસ નોંધવાની અનિવાર્ય મંજૂરી લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના દ્વારા આપવામાં આવી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
