મુંબઈ ડ્રગ્સ કેસનુ ઈન્ટરનેશનલ કનેક્શન! NIAને સોંપવામાં આવી શકે છે કેસની તપાસઃ સૂત્ર
સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે હવે ડ્રગ્સ કેસની કમાન એનઆઈએને સોંપવામાં આવી શકે છે.
મુંબઈઃ ડ્રગ્સ કેસમાં શાહરુખ ખાન જેવા સુપરસ્ટારના દીકરા આર્યન ખાનનુ નામ સામે આવ્યા બાદ આ કેસ હાઈપ્રોફાઈલ કેસનુ રુપ લઈ ચૂક્યો છે. આર્યન ખાનને મળેલી જામીન વચ્ચે શુક્રવારે નેશનલ ઈન્વેસ્ટીગેટીવ એજન્સી(એનઆઈએ)ની ટીમ મુંબઈ સ્થિત એનસીબીના કાર્યાલય પહોંચી. વળી, ક્રૂઝ ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર લાગેલા લાંચના આરોપો વચ્ચે એનઆઈએની એન્ટ્રીને લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. સૂત્રોના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે હવે ડ્રગ્સ કેસની કમાન એનઆઈએને સોંપવામાં આવી શકે છે.

ન્યૂઝ18ના સમાચારો મુજબ મુંબઈ ડ્રગ્સની લિંક ઈન્ટરનેશનલ રેકેટ સાથે જોડાયેલી હોઈ શકે છે. સૂત્રોનુ કહેવુ છે કે હાઈપ્રોફાઈલ કેસમાં મોટુ ષડયંત્ર અને દેશ પર સંભવિત જોખમના કારણે કેસની તપાસ એનઆઈએને સોંપવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે એનસીબી પહેલા જ પોતાની તપાસને લઈને અનિયમિતતાઓના ઘણા આરોપ સહી રહી છે. રિપોર્ટ મુજબ શુક્રવારે એનસીબી પહોંચેલી એનઆઈએની ટીમે લગભગ બે કલાક ઑફિસમાં વીતાવ્યા.
ડ્રગ્સ કેસની તપાસ કરી રહેલ વાનખેડે ખુદ આરોપોનો સામનો કરી રહ્યા છે. વળી, એનસીબીના પ્રમુખ સાક્ષી પ્રભાકર સેલે પણ કેસને રફા-દફા કરવા માટે વાનખેડે પર 25 કરોડ રૂપિયા માંગવાનો આરોપ લગાવ્યો હતો. જો કે આરોપ લાગ્યા બાદ પ્રભાકર ખુદ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે. આ દરમિયાન સૂત્રોનુ કહેવુ છે કે જલ્દી ડ્રગ્સ કેસની તપાસ એનઆઈએને ટ્રાન્સફર કરવા માટે નોટિફિકેશન જાહેર થઈ શકે છે. એવી પણ અટકળો લગાવવામાં આવી રહી છે કે એનઆઈએને કેસ ટ્રાન્સફર કરવાથી એનસીબીને નુકશાન થઈ શકે છે. સૂત્રોનુ કહેવુ છે કે એનસીબીને લાગી શકે છે કે એનઆઈએના હસ્તક્ષેપથી તેનુ અધિકારક્ષેત્ર ઘટી શકે છે સાથે જ તેની સાખને પણ જોખમ છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
