યુપીમાં રેલ અકસ્માત પાછળ ષડયંત્રની શંકા, CBI કરશે તપાસ
રેલવે પેટ્રોલિંગ સ્ટાફના ધ્યાનમાં આવ્યું છે કે, 1 જાન્યૂઆરીના રોજ ફર્રુખાબાદ અને કાનપુરના અનવરગંજના કલ્યાણપુર અને મંધાના રેલવે સ્ટેશન વચ્ચેના રેલ ટ્રેક પરથા ફિશિંગ પ્લેટ ગાયબ હતી.
કાનપુરની આસપાસના ટ્રેક પર એક પછી એક ઘટી રહેલી દુર્ઘટનાઓથી ભારતીય રેલવે ચિંતિત છે અને આથી જ આની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં ચૂંટણીની જાહેરાતો વચ્ચે કેન્દ્ર સરકારે આ મોટું પગલું ભર્યું છે. રેલવેને આ અકસ્માતો પાછળ મોટું ષડયંત્ર હોવાની શંકા જતાં તેની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. કાનપુર પાસે થયેલા રેલ અકસ્માતોમાં રેલવે ટ્રેક પરથી ફિશિંગ પિલેટ અને ઇલાસ્ટિક ક્લિપ ગાયબ હતી, આથી જ ભારતીય રેલવેને આ અકસ્માતો પાછળ કોઇ ષડયંત્ર હોવાની શંકા ગઇ છે.

બે સ્ટેશનો વચ્ચેના રેલવે ટ્રેકમાં ગડબડ
કાનપુરમાં 20 નવેમ્બરના રોજ ઇન્દોર-પટના એક્સપ્રેસ અને 28 ડિસેમ્બરના રોજ સ્યાલદાહ અજમેર એક્સપ્રેસ પાટા પરથી ઉતરી જવાની ઘટનાની તપાસ કરતા, આ બંન્ને અકસ્માતોમાં એક જેવી જ પરિસ્થિતિ સામે આવી હતી. તપાસ દરમિયાન રેલવેના પેટ્રોલિંગ સ્ટાફને ધ્યાનમાં આવ્યું કે, 1 જાન્યૂઆરીના રોજ ફર્રુખાબાદ અને કાનપુરના અનવરગંજના કલ્યાણપુર અને મંધાના રેલવે સ્ટેશન વચ્ચેના રેલ ટ્રેક પરથા ફિશિંગ પ્લેટ ગાયબ હતી. કેટલીક જગ્યાઓએ રેલવે ટ્રેકને તોડવાની પણ કોશિશ કરવામાં આવી હતી. આ વાતો સામે આવતાં જ ભવિષ્યમાં અન્ય કોઇ અણધારા અકસ્માતોથી બચવા માટે આ મામલો સીબીઆઇને સોંપવામાં આવ્યો છે. એક સીબીઆઇ અધિકારીના જણાવ્યા મુજબ, સીબીઆઇની તપાસ દરમિયાન જો આ ઘટનાઓ પાછળ એખ જેવા જવાબદાર કારણો મળશે તો સાચી વાત સામે આવતા વાર નહીં લાગે.
અહીં વાંચો - કાનપુર રેલ દુર્ઘટના, મૃતકોની સંખ્યા 133 પર પહોંચી, 200 થી વધુ ઘાયલ
સૌથી સુરક્ષિત રેલવે ટ્રેક પર અકસ્માત
28 ડિસેમ્બરે થયેલા અકસ્માતથી ભારતીય રેલવેને મોટો આંચકો લગ્યો, દિલ્હી-હાવડા રૂટ પર થયેલા આ અકસ્માતથી રેસવે ચોંકી ઉઠ્યું છે, કારણ કે આ રૂટ સૌથી સુરક્ષિત રહેવાય છે. આ રૂટ પર રાજધાની-શતાબ્દી જેવી ટ્રેનો દોડે છે. રેલવે સેફ્ટી કમિશનર આ ઘટનાની તપાસ કરી રહ્યાં છે, પરંતુ મોટા ભાગના લોકોનું માનવું છે કે આ ઘટનાની તપાસ સીબીઆઇ કરે એ જ વધુ યોગ્ય છે. આથી જો આ ઘટનાઓ પાછળ કોઇ ષડયંત્ર હોય તો પકડમાં આવે.
ઇન્દોર-પટના એક્સપ્રેસની ઘટનામાં 150 લોકો મૃત્યુ પામતાં રેલવેની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ મામલે ઉચ્ચસ્તરીય તપાસની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ ઘટનાની તપાસમાં ટેક્નોલોજીની સાથે ફોરેન્સિક વિશ્લેષણની પણ મદદ લેવામાં આવશે.
અહીં વાંચો - સિયાલદાહ-અજમેર એક્સપ્રેસના 15 ડબ્બા ખડી પડ્યા, 2 ના મોત
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
