કાનપુર રેલ દુર્ઘટના, મૃતકોની સંખ્યા 133 પર પહોંચી, 200 થી વધુ ઘાયલ
ઉત્તરપ્રદેશમાં કાનપુર પાસે પુખરૈયામાં થયેલ ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 133 સુધી પહોંચી ગઇ છે...
યુપીના કાનપુરમાં પુખરૈયામાં રવિવારે થયેલ ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 133 થઇ ચૂકી છે. આ વાતની પુષ્ટિ કાનપુર રેંજના આઇજી જકી અહમદે કરી છે. આ દુર્ઘટનામાં 200 થી પણ વધુ લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે.

મૃતકો ક્ષત-વિક્ષત
રવિવારે સવારે થયેલ દુર્ઘટનામાં પટના-ઇન્દોર એક્સપ્રેસના 14 ડબ્બા અચાનક પાટા પરથી ખડી પડતા ખતરનાક ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે તેમાં માર્યા ગયેલા મોટાભાગના મૃતદેહ એવી અવસ્થામાં છે કે જેની ઓળખ પણ થઇ શકે તેમ નથી.

ટ્રેનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક
બચાવકાર્યમાં લાગેલ એનડીઆરએફના પ્રવકતા કૃષ્ણ કુમારે જણાવ્યુ કે માર્યા ગયેલા લોકો ક્ષત-વિક્ષત થઇ ગયા છે જેમની ઓળખ કરવી શક્ય નથી. જે સમયે દુર્ઘટના ઘટી તે સમયે લોકો ઉંઘતા હતા જેના કારણે લોકોને બચવાનો મોકો જ ન મળ્યો. દુર્ઘટના સમયે ટ્રેનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક જણાવવામાં આવી રહી છે.

મૃતકોને મળશે 12.5 લાખની સહાય
અત્યાર સુધીમાં મૃતકોના પરિવારને 12.5 લાખ રુપિયા વળતર આપવાની ઘોષણા કરવામાં આવી છે. આમાં 3.5 લાખ રુપિયા રેલવે, 5 લાખ રુપિયા ઉત્તરપ્રદેશ સરકાર, 2 લાખ રુપિયા મધ્યપ્રદેશ સરકાર અને 2 લાખ રુપિયા પ્રધાનમંત્રી રાહતકોષમાંથી આપવામાં આવશે.

પીએમ રાહતકોષમાંથી પણ સહાય
આ ઉપરાંત દુર્ઘટનામાં રેલવે તરફથી ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રુપિયાનુ વળતર અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25-25 હજાર રુપિયાનંા વળતર આપવામાં આવશે. વળી ગંભીર રીતે ઘાયલ લોકોને પીએમ રાહતકોષમાંથી પણ 50-50 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે.

ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
ઘટના બાદ સવારથી સતત રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વળી આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે કે જે પણ દોષિત હશે તેને બક્ષવામાં નહિ આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
