આસામમાં પૂરનો પ્રકોપ યથાવત, છેલ્લા 24 કલાકમાં વધુ 8ના મોત, આંકડો પહોંચ્યો 66
Assam Floods: આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત થયા બાદ સ્થિતિ વણસી ગઈ છે. જે બાદ આ વર્ષના પૂરમાં મૃત્યુઆંક વધીને 66 થઈ ગયો છે.
"રવિવારે ધુબરી અને નલબારી જિલ્લામાં બે-બે લોકો અને કચર, ગોલપારા, ધેમાજી, શિવસાગર જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે તેમ એએસડીએમએ પૂર અહેવાલમાં જણાવાયું છે.

રવિવારે રાજ્યમાં પૂરની સ્થિતિ કેટલાક જિલ્લાઓમાં હજુ પણ ગંભીર છે. 28 જિલ્લાના 22.74 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં કામરૂપ, નાગાંવ, કચર, ધુબરી, ગોલપારા, મોરીગાંવ, હૈલાકાંડી, બોંગાઈગાંવ, દક્ષિણ સલમારા, ડિબ્રુગઢ, કરીમગંજ, લખીમપુર, હોજાઈ, નલબારી, ચરાઈડિયો, વિશ્વનાથ, ગોલાઘાટ, જોરહાટ, ધેમાજી, બરપેટા, મજ્જાપુર, કોરપેટા, સોલમારા, કામરૂપ (M), દરરંગ, શિવસાગર, ચિરાંગ, તિનસુકિયાનો સમાવેશ થાય છે.
97 રેવન્યુ સર્કલ હેઠળના 3446 ગામો હજુ પણ ડૂબી ગયા છે અને 68432.75 હેક્ટર પાક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે. એકલા ધુબરી જિલ્લામાં 754791 લોકો પ્રભાવિત થયા છે, ત્યારબાદ કચર જિલ્લામાં 177928 લોકો, બારપેટામાં 134328 લોકો, દારંગમાં 117581 લોકો, ગોલાઘાટમાં 112322 લોકો, દક્ષિણ સલમારા જિલ્લામાં 100926 લોકો પ્રભાવિત થયા છે.
3.69 લાખથી વધુ લોકોએ 630 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે અને વહીવટીતંત્ર દ્વારા 26 જિલ્લામાં વિતરણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. પૂરના બીજા મોજામાં 1563426 પાલતુ પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે. રવિવારના પૂરના પાણીમાં 214 પશુઓ ધોવાઈ ગયા હતા અને લગભગ 300 ઘરોને નુકસાન થયું હતું. એનડીઆરએફ, એસડીઆરએફ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ અને સ્થાનિક વહીવટીતંત્રની બચાવ ટુકડીઓ અનેક પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.
છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીથી 172 રસ્તાઓ, 6 પુલ, 8 પાળાને નુકસાન થયું છે. બ્રહ્મપુત્રા, બરાક અને તેની ઉપનદીઓ સહિત નવ નદીઓ રાજ્યમાં ઘણી જગ્યાએ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. નીમતીઘાટ, તેજપુર અને ધુબરીમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
