રથયાત્રાના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી
અષાઢી બીજ, ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે વરસાદ કેવો રહેશે તે વિશે હવામાન વિભાગે આગાહી કરી છે.
અમદાવાદઃ અષાઢી બીજ, ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવસે વરસાદ કેવો રહેશે તે વિશે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે રથયાત્રાના દિવસે અમદાવાદમાં ભારે વરસાદનુ વિઘ્ન નહિ આવે. અમદાવાદ અને ગાંધીનગરમાં અષાઢી બીજના દિવસે છૂટોછવાયો તેમજ સામાન્ય વરસાદ રહી શકે છે. પવનની ગતિ પણ સામાન્ય રહેશે તેમજ અમીછાંટણાથી વરસાદના વધામણા થશે. ભક્તોને ગરમી સહન નહિ કરવી પડે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ચોમાસુ જામી ચૂક્યુ છે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આગાહી મુજબ 30 જૂન અને 1 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. વળી, રથયાત્રાના દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર થશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જૂન મહિનાાં પોણા બે ઈંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ વરસ્યો છે.
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યમાં છૂટા છવાયા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં જ્યારે 1 જુલાઈ પછી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરુચમાં વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્ય વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવગનર, જૂનાગઢ અને સોમનાથમાં બારે વરસાદની આગાહી છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
