Mirzapur 3 : મિર્ઝાપુર 3 માં નહીં જોવા મળે મુન્ના ભૈયા, જાણો કેમ?
હાલમાં જ નિર્માતાઓએ મિર્ઝાપુરની ત્રીજી સિઝનની જાહેરાત કરી દીધી છે. જો કે ફેન્સ માટે ચૌકાવનારા સમાચાર એ છે કે તેમાં પોપ્યુલર મુન્નાભૈયા દિવ્યેન્દુ શર્મા નહીં જોવા મળે.
પ્રાઇમ વિડિયોએ 19 માર્ચે વેબ સિરીઝ મિર્ઝાપુર 3ની ત્રીજી સિઝનની જાહેરાત કરી છે પરંતુ હજુ સુધી તેની રિલીઝ ડેટ જાહેર કરી નથી.

પ્રાઇમ વીડિયોની ઇવેન્ટ દરમિયાન મિર્ઝાપુર 3 ની જાહેરાત કરવામાં આવી ત્યારે મુન્ના ભૈયા એટલે કે એક્ટર દિવ્યેન્દુ શર્મા હાજર નહોતો. ત્યારથી અટકળો લગાવવામાં આવી રહી છે હતી કે દિવ્યેન્દુ શર્માનું પાત્ર મુન્ના ભૈયા વાપસી કરશે કે નહીં? હવે ખુલાસો થઈ ગયો છે.
હવે ખુદ દિવ્યેન્દુ શર્માએ વેબ સિરીઝ મિર્ઝાપુર 3માંથી બહાર આવ્યાની જાહેરાત કરી છે. દિવ્યેન્દુ શર્માએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે વેબ સિરીઝ મિર્ઝાપુર 3નો ભાગ નથી. આ સાથે દિવ્યેન્દુ શર્માએ વેબ સિરીઝ મિર્ઝાપુર 3માં તેમના પાત્ર મુન્ના ભૈયાના તેમના અંગત જીવન પર પડતી નકારાત્મક અસર વિશે પણ વાત કરી.
દિવ્યેન્દુ શર્માના આ ઈન્ટરવ્યુ બાદ તેના તમામ ફેન્સ નિરાશ છે. વેબ સિરીઝ મિર્ઝાપુરમાં દિવ્યેન્દુ શર્માના પાત્ર મુન્ના ભૈયાને લોકોએ ઘણો પ્રેમ આપ્યો છે.
દિવ્યેન્દુ શર્માએ નકારાત્મક પાત્ર ભજવતી વખતે જે પડકારોનો સામનો કરવો પડે છે તેની વાત કરી છે. દિવ્યેન્દુ શર્માએ કહ્યું કે, જ્યારે હું પાત્રમાં હતો ત્યારે તે મારા વ્યક્તિત્વ પર ખૂબ અસર કરી રહ્યું હતું. આપણે કોઈ પણ પાત્રને ઓવર-રોમેન્ટિસ ન કરવું જોઈએ કારણ કે તે શક્ય નથી.
અમુક સમયે તેનાથી મને ગૂંગળામણ અનુભવાઈ. તે એટલું મુશ્કેલ છે કે તમને ખ્યાલ પણ નથી આવતો કે તમે તે ઝોનમાં છો. જ્યારે તમે તેમાંથી બહાર આવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે તે કેટલું ડાર્ક છે.
જણાવી દઈએ કે, મિર્ઝાપુરની પ્રથમ સિઝન વર્ષ 2018માં અને બીજી સિઝન વર્ષ 2020માં સ્ટ્રીમ કરવામાં આવી હતી. વેબ સિરીઝ મિર્ઝાપુર 2 દરમિયાન મુન્ના ત્રિપાઠીનું મોત થયું ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે તે મિર્ઝાપુર 3માં વાપસી કરશે કે નહીં. હાલમાં દિવ્યેન્દુ શર્માએ સ્પષ્ટ કર્યું છે કે તે મિર્ઝાપુર 3માં નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
