ચૂંટણી પ્રચાર દરમિયાન બકવાસ નિવેદનો કરતા નેતાઓ વિરૂદ્ધ કેવી કાર્યવાહી થઈ શકે? જાણો શું છે નિયમ?
ભારતમાં સતત કોઈને કોઈ જગ્યાઓએ ચૂંટણી ચાલતી જ રહે છે. આ જ કારણ છે કે નેતાઓનો બકવાસ પણ ચાલુ જ રહે છે. જણાવી દઈએ કે, બકવાન નિવેદનો માટે ચૂંટણી પંચ કાર્યવાહી પણ કરી શકે છે.
એવું નથી કે નેતાઓ માત્ર ચૂંટણીમાં જ બકવાસ નિવેદનો કરે છે પરંતુ આવા નિવેદનો સતત આવતા રહે છે. હાલમાં પાંચ રાજ્યોની ચૂંટણીમાં ઘણા નેતાઓએ હદ પાર કરીને બકવાસ નિવેદનો આપ્યા છે.

જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલની સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે કહ્યું હતું કે જો કોઈ રાજકીય પક્ષ અથવા તેના સભ્ય ધર્મ, જાતિ, જન્મસ્થળ, રહેઠાણ, ભાષા વગેરે જેવા મુદ્દાઓ પર દ્વેષપૂર્ણ નિવેદન આપે અને તેનાથી બે પક્ષો વચ્ચે દુશ્મનાવટ વધે તો તે તેના પર કોઈ નક્કર પગલાં લઈ શકે નહીં.
ચૂંટણી પંચનું કહેવું છે કે, તેના આધારે તેને કોઈપણ રાજકીય પક્ષની માન્યતા પાછી ખેંચવાનો કે તેને રદ કરવાનો કે તેના સભ્યોને ગેરલાયક ઠેરવવાનો કોઈ કાનૂની અધિકાર નથી. જો કે આ પછી પણ ચૂંટણી પંચ પાસે કેટલીક પદ્ધતિઓ છે, જેની મદદથી તે ખોટા નિવેદન આપનારા આવા નેતાઓ સામે કાર્યવાહી કરી શકે છે.
ગયા વર્ષે ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતા દરમિયાન આવા નિવેદનો પર પ્રતિબંધ મૂકવા તેની આદર્શ આચાર સંહિતામાં સુધારો કર્યો હતો. હવે ચૂંટણી દરમિયાન જો કોઈ ઉમેદવાર કે તેના એજન્ટ કોઈપણ ભાષણ દરમિયાન ધર્મ, જાતિ, જન્મ સ્થળ, રહેઠાણ, ભાષા વગેરે જેવા મુદ્દાઓ પર આવું નિવેદન આપે, જેનાથી બે પક્ષો વચ્ચે દુશ્મનાવટ વધે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે.
આ કાર્યવાહીમાં ચૂંટણી પંચ ઉમેદવારને કારણ બતાવો નોટિસ જારી કરી શકે છે અથવા તેના ચૂંટણી પ્રચાર પર અમુક સમયગાળા માટે પ્રતિબંધ મૂકી શકે છે.
આ સિવાય ચૂંટણી પંચ IPCની કેટલીક કલમની મદદથી આવા નેતાઓ સામે કાર્યવાહી કરી શકે છે. કલમ 153A હેઠળ જો કોઈ વ્યક્તિ ધર્મ, જાતિ, રહેઠાણ, જન્મ સ્થળ, ભાષા વગેરેના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપે છે તેની સામે કાર્યવાહી થઈ શકે છે.
કલમ 153B (રાષ્ટ્રીય એકીકરણ માટે પ્રતિકૂળ હોવાનો દાવો કરે છે), 295A (દૂષિત કૃત્ય અથવા ધાર્મિક લાગણીઓને ભડકાવવાનો ઈરાદો), 298 (ધાર્મિક લાગણીઓને ભડકાવવાના ઈરાદાથી કરવામાં આવેલ ભાષણ) અને 505 (તોફાની નિવેદનો કરવા) દ્વારા ચૂંટણી પંચ ખોટા નિવેદનો કરનારા નેતાઓ પર કડક કાર્યવાહી કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
