પાટણ એટલે ગુજરાતનું એક સુંદર શહેર
ગુજરાતની પૂર્વ રાજધાની પાટણ એક એવું શહેર છે, જેની સ્થાપના 745ની સાલમાં થઈ હતી.
ગુજરાતની પૂર્વ રાજધાની પાટણ એક એવું શહેર છે, જેની સ્થાપના 745ની સાલમાં થઈ હતી. તત્કાલીન રાજા વનરાજ ચાવડાએ વસાવેલું આ ઐતિહાસિક શહેર પોતાની ઉત્કૃષ્ટ ઐતિહાસિક સંપત્તિ અને પ્રાકૃતિક ભવ્યતા માટે પ્રસિદ્ધ છે.
અમદાવાદ નજીક આવેલું આ શહેર ફરવા માટે સુંદર સ્થળોમાંનું એક છે. અમદાવાદ ફરવા જતા લોકો કે આસપાસ રહેતા લોકો પાટણ ફરવા જઈ શકે છે. પાટણ પોતાની ઉત્કૃષ્ટ પ્રાચીન વાસ્તુકલા અને પ્રાચીન સૌંદર્ય માટે જાણીતું છે. પાટણમાં ફરવા લાયક ઘણા સ્થળો આવેલા છે. આ સ્થળ ઈતિહાસ અને એડવેન્ચર બંને માટે મહત્વનું છે.
આ પણ વાંચો: એલોરાની ગુફા જોતા પહેલા જાણી લો આ જરૂરી વાતો

પાટણ કેવી રીતે જશો
હવાઈ માર્ગઃ પાટણ જવા માટે નજીકનું એરપોર્ટ અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ છે. જે પાટણથી 120 કિલોમીટર દૂર છે.
રેલવે માર્ગઃ પાટણ રેલવે સ્ટેશન શહેરની વચ્ચો વચ આવેલું છે. જ્યાં દેશના જુદા જુદા વિસ્તારોથી ટ્રેન આવે છે.
રોડ માર્ગેઃ પાટણમાં રાજ્યના અને ભારતના અન્ય પ્રમુખ શહેરોમાંથી નિયમિત બસ આવે છે. બસ ટર્મિનલ પણ શહેરની વચ્ચો વચ છે.
પાટણ આવવાનો યોગ્ય સમય
પાટણની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચેનો છે. આ સમયે અહીં સરેરાશ તાપમાન 15 ડિગ્રીથી 25 ડિગ્રી રહેતું હોય છે.

સહસ્ત્રલિંગ તળાવ
P.C: Mv.shah
સહસ્ત્રલિંગ તળાવ શહેરના ઉત્તર-પશ્ચિમ ભાગમાં ાવેલું છે. તે સરસ્વતી નદીના તટ પર કૃત્રિમ રીતે બનેલું તળાવ છે. ગુજરાતના મહાન રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ બનાવડાવ્યું હતું, જે હાલ કોરું કટ છે. આ તળાવ વિશે જાતભાતની દંતકથાઓ પ્રચલિત છે. કહેવાય છે કે આ તળાવ જસ્મીન ઓડેન નામની મહિલા દ્વારા શાપિત છે, જેણે સિદ્ધરાજ જયસિંહ સાથે લગ્ન કરવાનો ઈનકાર કર્યો હતો.
આ પંચકોણીય તળાવમાં લગભઘ 4,206,500 ક્યુબિક મીટર પાણી અને લગભગ 17 હેક્ટર વિસ્તાર માટે પાણી સમાવી શકાય છે. આ તળાવ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર છે અને અહીં ભગવાન શિવના અસંખ્ય મંદિરો તેમજ ખંડેરો પણ છે.

રાણીની વાવ
P.C: Bernard Gagnon
પાટણની રાણીની વાવ દેશની સૌથી સુંદર અને બારીક કોતરણીવાળી વાવમાંની એક છે. આ વાવ શિલ્પ કૌશલ્યનો ઉત્કૃષ્ટ નમૂનો છે. જેને ભૂમિગત વાસ્તુકલાનું ઉત્તમ ઉદાહરણ મનાય છે. સોલંકી રાજવંશની રાણી ઉદયમતીએ બંધાવેલી આ વાવની દીવાલો પર ભગવાન ગણેશ સહિત અન્ય હિંદુ દેવતાઓની જટિલ મૂર્તિઓ કોતરેલી છે. આ વાવા વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. જેની દીવાલો પર કોતરણી અદ્બૂત છે.

જૈન મંદિર
P.C: rusticus80
પાટણમાં સોથી વધુ જૈન મંદિરો છે. સોલંકી યુગના આ મંદિરોમાં એક સૌથી મહત્વનું પંચસારા પાર્શ્વનાથ જૈન દેરાસર છે, જેની ભવ્યતા અને શિલ્પ કૌશલ્ય અદભૂત છે. આ આખું મંદિર પત્થરનું બનેલું છે અને તેને પ્રાચીન સફેદ આરસની પર્શ ભવ્યવા વધારે છે.

ખાન સરોવર
P.C: AfzalKhan1981
1886થી 1889ની આસપાસ બનેલું ખાન સરોવર ગુજરાતના તત્કાલીન ગવર્નર ખાન મિર્ઝા અઝીઝ કોકાએ બનાવડાવ્યું હતું. કેટલીક ઈમારતો અને ખંડેરોના પત્થરમાંથી બનેલું આ તળાવ એક વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલું છે. જેની ઉંચાઈ 1273ફૂટથી લઈને 1228 ફૂટ છે. તળાવની ચારે બાજુ પત્થરની સીડીઓ છે, અને ચિનાઈથી ખાન સરોવર અલગ પડાયું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
