આ શહેર કહેવાયુ દક્ષિણ ભારતનું ‘કાશી’
રામેશ્વરમ, તમિળનાડુ રાજ્યમાં સ્થિત એક શાંત શહેર છે અને આ કરામાતી પંબન દ્વીપનો ભાગ છે. આ શહેર પંબન ચૈનલના માધ્યમથી દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે. રામેશ્વરમ, શ્રીલંકાના મન્નાર દ્વીપથી 1403 કિ.મીના અંતરે છે. રામેશ્વરમને હિન્દુઓના સૌથી પવિત્ર સ્થળોમાનું એક માનવામાં આવે છે, તેને ચાર ધામ યાત્રાઓમાનું એક સ્થળ પણ માનવામાં આવે છે.
રામેશ્વરમનું ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન છે, જે અન્ય દેશો સાથે વ્યાપારના માધ્યમથી પણ જોડાયેલું છે. જે લોકો શ્રીલંકાથી સીલોનની યાત્રા કરવા જાય છે, તેમાના માટે રામેશ્વરમ એક સ્ટોપ ગેપ પોઇન્ટ છે. ખરા અર્થમાં જાફના સામ્રાજ્યનું આ શહેર પર નિયંત્રણ રહ્યું છે અને જાફનાના શાહી ઘરાનાને રામેશ્વરમના સરંક્ષક માનવામાં આવે છે. દિલ્હીના ખિલજી વંશ પણ રામેશ્વરમના ઇતિહાસ સાથે જોડાયેલો છે. અલાઉદ્દીન ખિલજીની સેનાના જનરલ આ શહેરમાં આવ્યા હતા અને પાંડ્યાન્સન સેના પણ તેમને રોકી શકી નહોતી. તેમના આગમનના અવસરે, જનરલે રામેશ્વરમમાં આલિયા અલ દીન ખાલદીજી મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. આ ઉપરાંત રામેશ્વરમાં જોવાલાયક અનેક ધાર્મિક સ્થળો છે, તો ચાલો તસવીરો થકી દક્ષિણ ભારતના કાશીની મુલાકાત લઇએ.

દક્ષિણ ભારતનું કાશી
એવું કહેવાય છે વારાણસી(કાશી)ની મુલાકાત લીધા પછી જો દક્ષિણના કાશી એટલે કે રામેશ્વરમની મુલાકાત લેવામાં ના આવે તો વારાણસીની મુલાકાતનો કોઇ અર્થ રહી જતો નથી. રામેશ્વરમ એક ધાર્મિક પ્રવાસન સ્થળ છે અને ત્યાં 64 તિર્થો આવેલા છે.

રામનાથસ્વામી મંદિર
આ શહેરનું સૌથી મહત્વનું આકર્ષણ છે શહેરમાં આવેલું ભગવાન શિવનું મંદિર, જેને રામનાથસ્વામી મંદિર કહેવામાં આવે છે. જેનું નિર્માણ 12મી સદીમાં પાંડ્યાન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 1212 સ્તંભો છે.

આદમનો બ્રીજ
પંબન આઇલેન્ડ અને મન્નાર આઇલેન્ડ વચ્ચે એક લાઇમસ્ટોનની સાંકળ આવેલી છે, જેને આદમનો બ્રીજ કહેવામા આવે છે, બાદમાં તેને રામ સેતુ નામ આપવામાં આવ્યું. ઇતિહાસમાં ડોક્યું કરીએ તો જાણવા મળે છે કે, વાનરો દ્વારા ભગવાન રામ માટે આ બ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું હતુ.

પંબન બ્રીજ
આ ભારતનો બીજો સૌથી મોટો દરિયાઇ બ્રીજ છે. આ બ્રીજ ભારતના મુખ્ય ભાગને રામેશ્વરમ સાથે જોડે છે. આ બ્રીજની લંબાઇ 2.3 કમી છે. આ રેલવે બ્રીજને જાહેર જનતા માટે 1914માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

અથીરાકોસામાંગાઇ
અથીરાકોસામાંગાઇ, એક મંદિર છે, જે રામનાથપુરમ જિલ્લામાં સ્થિત છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. તમિળનાડુના લોકો મોટી સંખ્યામાં આ મંદિરના દર્શને આવે છે. આ મંદિરમાં એક લોકપ્રિય માનિકવાસગર ભજનનો ઉલ્લેખ મળે છે. આ મંદિર સુધી પારામક્કુડી અને રમાનાથપુરમથી સારી રીતે પહોંચી શકાય છે.

ધનુષકોડી
ધનુષકોડી એક ગામ છે, જે રામેશ્વરમ દ્વીપ પર સ્થિત છે. આ ગામ, દ્વીપના દક્ષિણોત્તર ભાગના પૂર્વ ભાગમાં સ્થિત છે. આ ગામ, શ્રીલંકા સ્થિત તલાઇમન્નારથી 31 કિ.મીના અંતેર છે. કહાણીઓ અનુસાર વિભીષણે આ સ્થળે જ ભગવાન રામને સેતુ તોડવા માટે કહ્યું હતુ અને ભગવાન રામે એક જ બાણથી આ સેતુ તોડી નાંખ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
