મણિકરણઃ બે ધર્મના મિલનનું અદભૂત તીર્થસ્થળ
ભારતમાં જ એક સ્થળ એવું પણ છે, જે બે જુદા જુદા ધર્મના લોકો માટે તીર્થસ્થળ છે. જો તમે આ સ્થળ વિશે નથી જાણતા, તો આ લેખમાં જાણી લો.
ભારત, આપણો દેશ વિવિધતામાં એક્તા અને વિષમતાઓને કારણે જ વિશ્વપ્રસિદ્ધ છે. ધર્મથી લઈને જુદી જુદી વાનગીઓની વિશેષતાઓ આપણા દેશમાં એક જ સ્થળે મળી શકે છે. તો આ દેશમાં રીતરિવાજો અને ધર્મને લઈને પણ જબરજસ્ત વિવિધતા છે. પરંતુ, શું તમે એ વાત માનશો કે ભારતમાં જ એક સ્થળ એવું પણ છે, જે બે જુદા જુદા ધર્મના લોકો માટે તીર્થસ્થળ છે. જો તમે આ સ્થળ વિશે નથી જાણતા, તો આ લેખમાં જાણી લો. વાત છે ઉત્તર ભારતમાં આવેલા મણિકરણની, જે હિંદુ ધર્મ અને શીખ ધર્મ બંને માટે પવિત્ર સ્થળ છે.
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના ભૂંતરમાં આવેલું છે મણિકરણ. ભૂંતરના ઉત્તર પૂર્વ વિસ્તારમાં પાર્વતી નદીના કિનારે પાર્વતી ઘાટીમાં આવેલું આ નાનકડું નગર આખા વર્ષ દરમિયાન દેશભમાંથી મનાલી અને કુલ્લુના પ્રવાસીઓ પોતાની તરફ આકર્ષે છે. ખાસ કરીને અહીં વહેતા ગરમ પાણીના ઝરા અને તીર્થસ્થાન હોવાને કારણે લોકો અહીં આવે છે.

પાર્વતી નદી
મણિકરણમાં હિંદુઓના કેટલાક મંદિર છે, તો સાથે જ અહીં શીખ ધર્મની ગુરુદ્વારા પણ છે. હિંદુઓની માન્યતા પ્રમાણે મનુ (માનવીના પિતા) એ ભયંકર પૂર પ્રકોપ બાદ અહીં માનવીઓને જન્મ આપ્યો હતો, અને આ સ્થળને પવિત્ર બનાવ્યું હતું. મણિકરણમાં રામ, કૃષ્ણ અને વિષ્ણુ જેવા હિંદુ ધર્મમાં પૂજાતા અનેક દેવોના મંદિર પણ છે. જો કે, મણિકરણ અહીં વહેતા ગરમ પાણીના ઝરા અને આસપાસના રમણીય પ્રાકૃતિક દ્રશ્ય માટે જાણીતું છે. પરંતુ ગરમ પાણીના ઝરાને લઈ બંને ધર્મમાં અલગ અલગ માન્યતા પણ છે.

શીખો દ્વારા પ્રચિલત કથા
Image Courtesy: John Hill
કથાનુસાર, ત્રીજા ઉદાસી દરમિયાન શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકજી પોતાના સૌથી પહેલા શિષ્ય ભાઈ મર્દાના સાથે અહીં આવ્યા હતા. મર્દાનાને અહીં પહોંચ્યા બાદ જબરજસ્ત ભૂખ લાગી. ગુરુ નાનકજીએ તેમને લંગરમાંથી ભોજન લાવવાનું કહ્યું, પરંતુ મુશ્કેલી એ ઉભી થઈ કે આ સ્થળ પર અનાજ રાંધવા માટે આગની વ્યવસ્થા નહોતી. નાનકજીએ મર્દાનાને અહીં પડેલો મોટો પથ્થર ખસેડવા કહ્યું, મર્દાનાએ જ્યારે આ પત્થર ઉઠાવ્યો તો નીચેથી ગરમ પાણીના ઝરાની ઉત્પત્તિ થઈ. નાનકજીના કહ્યા અનુસાર મર્દાનાએ રોટલીઓ આ ઝરણામાં મૂકી, પરંતુ તમામ ડૂબી ગઈ.

મણિકરણમાં આવેલું ગુરુદ્વારા
Image Courtesy: akubhatta
નિરાશ મર્દાનાને જોઈને નાનકજીએ તેને સાચા મનથી ઈશ્વરની પ્રાર્થના કરવાનું કહ્યું, સાથે જ કહ્યું કે જો બધી જ રોટલી પાછી મળે તો તે એક રોટલી ઈશ્વરને અર્પણ કરશે. મર્દાનાએ સાચા દિલથી આ પ્રાર્થના કર્યા બાદ એક બાદ એક તમામ રોટલીઓ તૈયાર થઈને પાણીમાં તરવા લાગી. આ કથાનુસાર જો કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના નામે આ ઝરણામાં કોઈ ચીજ દાન કરે, તો તે ડૂબવાને બદલે તરવા લાગે છે.

હિન્દુઓ દ્વારા પ્રચલિત કથા
Image Courtesy: Tegbains
હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન શિવ અને દેવી પાર્વતીએ આ સ્થળ પર લગભગ 1100 વર્ષ સુધી નિવાસ કર્યો છે. એક દિવસ દેવી પાર્વતી અને શિવ અહીં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે પાર્વતીજીનું એક મણિ રત્ન જળની ધારામાં પડી ગયું. રત્ન ખોવાઈ જવાથી દુઃખી થયેલા પાર્વતીજીએ શિવજીને રત્ન શોધી આપવા કહ્યું. મહાદેવે રત્ન સોધવા તમામ સેવકોને આદેશ આપ્યો, પરંતુ રત્ન ન જ મળ્યું.

ક્રોધે ભરાયેલા શિવજી
Image Courtesy: Aman Gupta
રત્ન ન મળતા ક્રોધે ભરાયેલા શિવજીએ વિશ્વને નાશ કરી શકવાની તાકાત ધરાવતું ત્રીજું નેત્ર ખોલ્યું. ડરને કારણે તમામ દેવી દેવતાઓ, નાગના રાજા શેષનાગે તેમને શાંત પડવા વિનંતી કરી. અને શેષનાગે પોતાના ફૂંફાડાથી ગરમ પાણીનો આ ઝરો ઉત્પન્ન કર્યો. ગરમ પાણીનો ઝરો પેદા થવાથી આખા વિસ્તારમાં ગરમ પાણી ફેલાયું જેના પગલે દેવી પાર્વતીજીના ખોવાયેલા રત્ન જેવા અનેક રત્ન ઉત્પન્ન થયા. દેવી પાર્વતી પોતાનું રત્ન મેળવીને ખુશ થઈ અને શિવજીનો ગુસ્સો પણ શાંત થયો.

મણિકરણ
Image Courtesy: akubhatta
શીખ ધર્મ અને હિન્દુ ધર્મની માન્યતા અનુસાર મણિકરણમાં વહેતા ગરમ પાણીના ઝરા પાછળ આવી કથા છે. આજે પણ આ ઝરાનું પાણી ગરમ રહે છે, જેને લોકો ખૂબ જ શુભ માને છે. એવું કહેવાય છે કે જો તમે મણિકરણની યાત્રા કરી છે, તો તમારે કાશીની યાત્રા કરવાની જરૂર નથી. રસપ્રદ વાત એ છે કે આ ઝરણાનું પાણી એટલું ગરમ હોય છે કે તમે એક કપડામાં ચોખા બાંધીને પાણીમાં થોડી વાર રાખો, તો તે ભાત બની જાય છે. આ ઝરાણાના પાણીનો ઉપયોગ જળ ઔષધિ તરીકે પણ થાય છે.

કેવી રીતે પહોંચશો મણિકરણ?
Image Courtesy: Jayantanth
રોડ દ્વારા
મણિકરણ કુલ્લુથી લગભગ 45 કિલોમીટર દૂર છે, અને મનાલીથી 85 કિલોમીટર, હિમાચલ પ્રદેશના કેટલાક મુખ્ય શહેરો દ્વારા અહીં સુધી પહોંચવા બસની સગવડ છે.
ટ્રેન દ્વારા
મણિકરણ પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન શિમલા છે, જ્યાંથી મણિકરણ લગભગ 106 કિલોમીટર દૂર છે.
વિમાન દ્વારા
મણિકરણનું સૌથી નજીકનું એરપોર્ટ ભૂંતર છે, ભૂંતરથી ટેક્સી દ્વારા આસાનીથી મણિકરણ પહોંચી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
