Maha Kumbh Gram Luxury Tent : લક્ઝરી ટેન્ટમાં રોકાવ અને મહા કુંભનો આનંદ લો, જાણી લો ભાડુ અને બુકિંગ પ્રક્રિયા
Maha Kumbh Gram Luxury Tent City : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહા કુંભ મેળાની શરૂઆત થવા જઈ રહી છે.
મહા કુંભ માટે આવનારા ભક્તો માટે મોટી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ વખતે ખાસ લક્ઝરી ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવ્યુ છે.

ભારતીય રેલ્વે અને પર્યટન વિભાગે સાથે મળીને શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ વખતે, IRCTC એ ત્રિવેણી સંગમ નજીક અરૈલ કિનારે મહાકુંભ ગ્રામ નામનું એક વૈભવી ટેન્ટ સિટી ઉભુ કર્યુ છે.
ભારતીય રેલ્વે મહાકુંભ માટે લગભગ 3000 મેળા સ્પેશિયલ ટ્રેનો સાથે વ્યવસ્થા કરી રહી છે, જેમાં 1 લાખથી વધુ મુસાફરોને સુવિધા મળશે. IRCTC ના મહાકુંભ વિલેજમાં પ્રવાસીઓને રહેવા, ખાવા-પીવાની સુવિધાઓની સાથે તબીબી અને સુરક્ષા સુવિધાઓની વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
મહાકુંભ વિલેજમાં ખાસ આયોજન
- મહાકુંભ વિલેજમા સુપર ડિલક્સ ટેન્ટ અને વિલા ટેન્ટ બનાવવામાં આવ્યા છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
- ગરમ અને ઠંડા પાણીની સુવિધાઓ
- વ્યક્તિગત બાથરૂમ
- એર બ્લોઅર અને બેડ લેનિન
- કેટરિંગ સેવાઓ અને વિલા ટેન્ટમાં અલગ બેઠક વિસ્તાર અને ટેલિવિઝન
ભાડુ અને બુકિંગ પ્રક્રિયા
- ભાડું : 18000 થી 20000 રૂપિયા પ્રતિ દિવસ
- બુકિંગ : ઓનલાઈન બુકિંગ IRCTC વેબસાઇટ (www.irctctourism.com/mahakumbhgram) પર ઉપલબ્ધ છે.
- બુકિંગ 10 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કરી શકાશે.
સુરક્ષા અને અન્ય સુવિધાઓ
- મહેમાનોની સુરક્ષા માટે મહાકુંભ વિલેજમા સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. પ્રાથમિક સારવાર સેવાઓ પણ ઉપલબ્ધ છે.
- 300 ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે.
- અંદાજે 1 લાખ મુસાફરો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
- આ કાર્યક્રમ દર 12 વર્ષે યોજાય છે અને તેમાં વિશ્વભરમાંથી લાખો ભક્તો હાજરી આપે છે.
મહાકુંભ પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનની તૈયારી અંગે ઉત્તર મધ્ય રેલ્વેના સીઆરપીઓ શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે, મહાકુંભ 2025 નજીક આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાના સંગમમાં ડૂબકી લગાવશે. ઘણા ભક્તો ખાસ કરીને પ્રયાગરાજથી આવે છે અને અમે નજીકના સ્ટેશનોથી પરિવહન માટે રેલ્વેનો ઉપયોગ કરીશું. અમારો ઉદ્દેશ્ય કુંભની પ્રાચીન સનાતન પરંપરાનું પ્રદર્શન કરીને પ્રયાગરાજની મુલાકાત લેતા ભક્તોના આધ્યાત્મિક અનુભવને વધારવાનો છે.
મુલાકાતીઓના અનુભવ સુધારવા રેલ્વે પરિસરને કુંભ સાથે જોડવામાં આવશે. જેમ આપણે તહેવારો દરમિયાન આપણા ઘરોને શણગારીએ છીએ તેવી જ રીતે આપણે મહેમાનોની સેવા કરવા પ્રત્યેનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આપણા રેલ્વે સ્ટેશનોને શણગાર્યા છે.
મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમ છે. તે દર 12 વર્ષે થાય છે અને પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર યોજાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
