પાકિસ્તાનમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરનું જાણો માહત્મ્ય
મિત્રો આજે અમે આપના માટે એક નવા લેખની શ્રેણી લઇને આવ્યા છીએ. અમે અમારા આ લેખ શ્રેણીમાં આપને પાકિસ્તાનમાં આવેલા પૌરાણિક મંદિરો અને તેના માહત્મય વિશે પરિચય કરાવીશું. પાકિસ્તાન અને ભારત ભલે ભૌગોલિક રીતે અલગ પડી ગયા હોય પરંતુ ત્યાંની ધરતીમાં હજી પણ હિન્દુ સંસ્કૃતિનો અમીટ વારસો સંગરાયેલો છે. હજારો-લાખો વર્ષથી અહીં હિન્દુ દેવી-દેવતાઓના મંદિરો હેમખેમ અવસ્થામાં ઊભા છે, અને તેની માવજત પાકિસ્તાનમાં વસતા હિન્દુઓ કરી રહ્યા છે. આ ઉપરાંત અહીંના મંદિરોનું એટલું સત્ય છે કે ભારતથી પણ લોકો ત્યાં દર્શન કરવા જાય છે.
આ શ્રેણીને પગલે આજે અમે આપને આજે લઇ જઇ રહ્યા છીએ પાકિસ્તાનના કરાચીમાં આવેલા પંચમુખી હનુમાન મંદિરમાં. તો આવો જાણીએ પાકિસ્તાનમાં આવેલા આ મંદિરનું શું છે માહત્મ્ય.

પાકિસ્તાનના સિંધ પ્રાંતના કરાંચીમાં સ્થિત આવેલા આ મંદિરનું પુન:નિર્માણ 1882માં કરવામાં આવ્યું હતું, ત્યારે તો ભારત અને પાકિસ્તાન એક હતા. મંદિરમાં પંચમુખી હનુમાનની મનમોહક પ્રતિમા સ્થાપિત કરવામાં આવેલી છે, જેના દર્શન કરતા જ ભક્તોના દરેક દુ:ખો દૂર થઇ જાય છે.

કહેવામાં આવે છે કે હનુમાનજીની આ મૂર્તિ દોઢ હજાર વર્ષ પહેલા પ્રકટ થઇ હતી. જ્યાંથી મૂર્તિ પ્રકટ થઇ હતી ત્યાંથી માત્ર 11 મુઠ્ઠી માટી હટાવવામાં આવી અને મૂર્તિ સામે આવી ગઇ હતી. જોકે આ રહસ્યમયી મૂર્તિનો સંબંધ ત્રેતા યુગથી છે.
મંદિરના પૂજારીનું કહેવું છે કે અત્રે માત્ર 11-12 પરિક્રમા લગાવવાથી મનોકામના પૂરી થઇ જાય છે. હનુમાનજી ઉપરાંત અત્રે ઘણા હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરી છે. અત્રે નોંધનીય છે કે આ મંદિરના દર્શન ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી, જસવંત સિંહ પણ કરી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
