રમઝાન સ્પેશિયલઃ એક એવી દરગાહ જ્યાં પૂરી થાય છે દરેક મુરાદ
એ કહેવું અતિશ્યોક્તિ નહીં હોય કે ભારત અને ધર્મ એક બીજાના પર્યાય છે. અહીં તમને દરેક સ્થળે,દરેક ગલીમાં અલગ-અલગ મંદિર, મસ્જીદ અને ગુરુદ્વારા તથા ચર્ચ મળશે. નોંધનીય છેકે આ સ્થળ એવા છે, જ્યાં વર્ષભેર ભક્તોની એક મોટી ભીડ જોવા મળે છે. નોંધનીય છેકે, આજે ભારત પોતાના ધાર્મિક પ્રવાસનના કારણે વિશ્વ માનચિત્ર પર એક ખાસ સ્થાન ધરાવે છે, જેના કારણે વિદેશથી આવતા પ્રવાસીઓની એક મોટી સંખ્યા અલગ-અલગ ધર્મો પર સંસ્કૃતિઓની ઝલક મેળવવા આવે છે.
આ જ ક્રમમાં અમે આ ખાસ રમઝાન સ્પેશિયલ શ્રેણીમાં તમને ભારતમાં રહેલી કેટલીક મસ્જિદો અને દરગાહો અંગે જણાવી રહ્યાં છીએ. નોંધનીય છેકે, આખા વિશ્વની સાથોસાથ ભારતમાં પણ રમઝાનની શરૂઆત થઇ ગઇ છે, જેની રોનકના કારણે તમે વિવિધ બજારો, દૂકાનોને સજેલી જોઇ શકો છો. આજે અમે તમને આ લેખમાં અવગત કરાવી રહ્યાં છીએ ખ્વાજા ગરીબ નવાજના નામથી જાણીતી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ અંગે.
તમને જણાવી દઇએ કે આ સ્થળને દરગાહ શરીફના નામથી પણ ઓળખવામાં આવે છે. દરગાહ શરીફ રાજસ્થાનનું સૌથી પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે, જે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનું સ્થળ છે. તે એક સુફી સંત હતા જેમણે પોતાનું આખું જીવન ગરીબો અને દલિતોની સેવામાં સમર્પિત કરી દીધું. આ સ્થળ તમામ ધર્મોના લોગો માટે પૂજનીય છે અને પ્રતિવર્ષ અહીં લાખો તીર્થયાત્રીઓ આવે છે. ચાંદીના દરવાજાવાળી આ દરગાહનું નિર્માણ અનેક ચરણોમાં થયો, જ્યાં સંતની મૂળ કબર છે, જે સંગેમરમરની બનેલી છે અને તેની ચારેઓર રેલિંગ ચાંદીની છે.
મહાન સૂફી સંતની યાદમાં અહીં દર વર્ષે એક ઉર્સનું આયોજન કરવામાં આવે છે, જે 6 દિવસ સુધી ચાલે છે. 6 દિવસોની અવધીનું ધાર્મિક મહત્વ એ છેકે લોકોનું એવું માનવું છેકે જ્યારે સંતની ઉમર 114 વર્ષની હતી ત્યારે તેમણે પ્રાર્થના કરવા માટે સ્વયંને છ દિવસ સુધી રૂમમાં બંધ કરી દીધા હતા અને પોતાના નશ્વર શરીરને એકાંતમાં છોડી દીધું હતું.

ખ્વાજા ગરીબ નવાજની દરગાહ
ખ્વાજા ગરીબ નવાજના નામથી જાણીતી ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ છે. તમને જણાવી દઇએ કે આ સ્થળને દરગાહ શરીફના નામથી પણ ઓળખવામાં આવે છે.

ખ્વાજા ગરીબ નવાજની દરગાહ
દરગાહ શરીફ રાજસ્થાનનું સૌથી પ્રસિદ્દ ધાર્મિક સ્તળ છે, જે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીનું સ્થળ છે. તે એક સૂફી સંત હતા જેમણે પોતાનું આખુ જીવન ગરીબો અને દલિતોની સેવામાં સમર્પિત કરી દીધું.

ખ્વાજા ગરીબ નવાજની દરગાહ
આ સ્થળ તમામ ધર્મોના લોકો માટે પૂજનીય છે અને પ્રતિ વર્ષ અહીં લાખો તીર્થયાત્રી આવે છે. ચાંદીના દરવાજાવાળી આ દરગાહનું નિર્માણ અનેક ચરણોમાં થયું જ્યાં સંતની મૂળ કબર છે, જે સંગેમરમરની બનેલી છે અને તેની ચારેકોરની રેલિંગ ચાંદીની છે.

ખ્વાજા ગરીબ નવાજની દરગાહ
મહાન સૂફી સંતની યાદમાં અહીં દર વર્ષે એક ઉર્સનું આયોજન કરવામાં આવે છે, જે 6 દિવસ સુધી ચાલે છે.

ખ્વાજા ગરીબ નવાજની દરગાહ
6 દિવસોની અવધીનું ધાર્મિક મહત્વ એ છેકે લોકોનું એવું માનવું છેકે જ્યારે સંતની ઉમર 114 વર્ષની હતી ત્યારે તેમણે પ્રાર્થના કરવા માટે સ્વયંને છ દિવસ સુધી રૂમમાં બંધ કરી દીધા હતા અને પોતાના નશ્વર શરીરને એકાંતમાં છોડી દીધું હતું.

ખ્વાજા ગરીબ નવાજની દરગાહ
એક કહાણી છેકે બાદશાહ અકબરે ખ્વાજાને એક કડાઇની ઓફર કરી હતી, જ્યારે સંતના આશીર્વાદથી તેમને પોતાના સિંહાસન માટે ઉત્તરાધિકારી પ્રાપ્ત થયો હતો.

ખ્વાજા ગરીબ નવાજની દરગાહ
હુમાયું દ્વારા બનાવવામાં આવેલી કબર અજમેરમાં એક નાની અને બંજર પહાડીની તળેટીમાં સ્થિત છે. આ સેફદ સંગેમરમરથી બનેલી છે અને તેમાં ફારસી શિલાલેખની સાથે 11 મેહરાબ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
