‘નસીરુદ્દીનના ડર' વાળા નિવેદન પર ભડક્યા પહેલવાન યોગેશ્વર દત્ત
ભારતમાં વધતી અસહિષ્ણુતા અંગે બોલિવુડના અભિનેતા નસીરુદ્દીન શાહે આપેલુ નિવેદન હવે ઘણા વિવાદોનું જડ બની ગયુ છે. આ નિવેદનની અસર દેશમાં ચારે તરફ પડવા સાથે રમત જગત પર પણ પડી છે.
ભારતમાં વધતી અસહિષ્ણુતા અંગે બોલિવુડના અભિનેતા નસીરુદ્દીન શાહે આપેલુ નિવેદન હવે ઘણા વિવાદોનું જડ બની ગયુ છે. આ નિવેદનની અસર દેશમાં ચારે તરફ પડવા સાથે રમત જગત પર પણ પડી છે. નસીરુદ્દીનના નિવેદન પર ઓલિમ્પિક મેડલિસ્ટ પહેલવાન યોગેશ્વર દત્તે પોતાની પ્રતિક્રિયા આપી છે. પૃષ્ઠભૂમિ માટે તમને જણાવી દઈએ કે નસીરુદ્દીને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે દેશની વર્તમાન સ્થિતિથી તેમને ડર લાગે છે કારણકે આજે દેશમાં ગાય એક પોલિસ અધિકારી કરતા વધુ જરૂરી બની ગઈ છે.
|
‘અમુક ઘટનાઓ પર કેમ લાગે છે ડર?'
આ નિવેદન ક્યાંકને ક્યાંક બુલંદશહરમાં મચેલા ઉપદ્રવના સંદર્ભમાં છે જેમાં એક પોલિસ ઈન્સ્પેક્ટર સહિત બે લોકોના મોત નીપજ્યા હતા. નિવેદન અંગે યોગેશ્વર દત્તે કહ્યુ કે આ દેશમાં જે લોકોને પોતાના બાળકો માટે ડર લાગી રહ્યો હોય તે ડર ત્યારે ક્યાં હતો નસીરુદ્દીનજી જ્યારે 1984ના રમખાણો થયા, જ્યારે 1993માં મુંબઈ બ્લાસ્ટ થયો, 26/11નો હુમલો થયો?
|
‘યાકુબ મેમણની અરજી પર સહી કરતી વખતે ડર નહોતો લાગ્યો?'
યોગેશ્વરે નસીરની મનસા પર સવાલ ઉઠાવતા તેમને પૂછ્યુ કે એક આતંકવાદી સંગઠને ભારત અને બાંગ્લાદેશના નાગરિકોનું અપહરણ કરીલલીધુ અને બાદમાં બાંગ્લાદેશીઓનો ધર્મ જોઈને છોડી દીધા, બાકીના બધા 39 ભારતીયોને મારી દીધા, ત્યારે તમને ગુસ્સો નહોતો આવ્યો?
|
‘નસીરુદ્દીન તમે કઈ તરફ છો, ખબર પડી રહી છે'
ત્યારબાદ યોગેશ્વરે બુલંદશહરની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યુ કે આ પહેલા થયેલા રમખાણોમાં ઘણા લોકોના જીવ જતા રહ્યા પરંતુ ત્યારે તમે કોઈ ડરની વાત નહોતી કરી. ત્યારબાદ યોગેશ્વરે નસીરુદ્દીનના સ્ટેન્ડ પર શંકા કરતા કહ્યુ કે આનાથી સમજમાં આવે છે કે તમે કઈ તરફ છો, કૃપા કરી આતંકી પર દયા કર્યા બાદ પોતાને દેશભક્ત ન કહો. ત્યારબાદ યોગેશ્વરે હાથ જોડીને જય હિંદ, જય ભારત બોલીને પોતાની વાત ખતમ કરી દીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
