ઇંગ્લેન્ડમાં રૈનાને મદદરૂપ થશે સચિને આપેલી ટિપ્સ?
લંડન, 25 ઑગસ્ટઃ ભારતીય ટીમના વનડે સ્પેશિઅલિસ્ટ બેટ્સમેન સુરેશ રૈનાનું કહેવું છેકે, તેમની ટીમે ટેસ્ટ શ્રેણીમાં મળેલા પરાજયને ભૂલીને અહીં ઇંગ્લેન્ડ સામે શરૂ થઇ રહેલી વનડે શ્રેણીમાં પોતાની ક્ષમતા દર્શાવીને આ શ્રેણી પોતાના નામે કરવી પડશે.
રૈનાએ કહ્યું કે, તેમની ટીમ હાલના સમયે ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે અને હવે અમારા માટે જુસ્સો દર્શાવવાનો સમય છે. આ પ્રકારના કારમા પરાજય બાદ ક્યારેક આગળ વધવું મુશ્કેલ હોય છે, પરંતુ જ્યારે તમે આંતરરાષ્ટ્રીય સ્તર પર રમી રહ્યા હોવ તો તમારે એ માટે માર્ગ શોધવા માટે લડવું પડે છે.
રૈનાએ વધુમાં કહ્યું છેકે, નવા ખેલાડી ટીમમાં તાજગી લઇને આવશે, જેથી ટેસ્ટ માટે જે ખેલાડી અહીં હતા, તેમને પુનઃ સકારાત્મકતા હાંસલ કરવામાં મદદ મળશે. તે પોતાની ભૂલોમાંથી બોધપાઠ લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને અમે તેમા નવો જુસ્સો ઉમેરીશું. ભારતને ટેસ્ટ શ્રેણીમાં 1-3થી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેમાં અંતિમ બે ટેસ્ટમાં પરાજય માત્ર ત્રણ દિવસની અંદર મળી હતી. રૈનાએ કહ્યું કે, અમે હંમેશા શિબિરમાં સકારાત્મકતા અને ઉત્સાહ લાવવાનો પ્રયાસ કરીએ છીએ.
આ પણ વાંચોઃ- આઉટઓફ ફોર્મ કોહલી ‘ફોર્મ'માં, વોર્મ અપમાં ભારતનો વિજય
આ પણ વાંચોઃ- ઘરની નહીં આઇપીએલની ટીમો માટે રમશે વિદેશી ક્રિકેટર્સ

હું ખુશીનો માહોલ જાળવી રાખવા પ્રયાસ કરું છું
રૈનાએ કહ્યું કે, હું ટીમમાં હમેશા મેદાનની અંદર અને બહાર હંસી ખુશીનો માહોલ જાળવા રાખવાનો પ્રયાસ કરું છું. જ્યારે વિકેટ પડે છે તો હું બોલર અથવા ફિલ્ડર પાસે દોડીને જનારો પહેલો ખેલાડી હોવ છું. નાની-નાની વસ્તુઓ જેમ કે ફાઇન લેગ અથવા થર્ડ મેન પર બોલર પાસે જઇને દોડીને જવું અને તેનું સ્વેટર લઇને આવવું ટીમના માહોલને સારો બનાવી શકે છે.

આખી ટીમ ઉર્જાથી ભરાઇ જાય છે
આ બધી બાબતો ફેલાય તેવી હોય છે, કારણ કે જ્યારે એક ખેલાડી આવું કરવાની શરૂઆત કરે તો બીજા ખેલાડી પણ આવું કરવા લાગે છે અને તમને માલુમ પડે તે પહેલા આખી ટીમ ઉર્જા અને જુસ્સાથી ભરાય જાય છે. આ ઉર્જાને બનાવવામાં થોડોક સમય લગે છે, ક્યારેક ચાર ઓવર તો ક્યારેક 10 ઓવર. આવો માહોલ ઉભો કરવા માટે કોઇએ નેતૃત્વ કરવાનું હોય છે અને પ્રયાસો કરવાના હોય છે. દરેક વ્યક્તિ પોતાની બોલિંગ અને બેટિંગ અંગે વિચારતી હોય છે.

મેદાનમાં સકારાત્મક વાતાવરણ બને છે
રૈનાએ કહ્યું કે, જો હું માત્ર મારી રમત પર ધ્યાન આપું અને ઉભો રહું તો દરેક ભાવનાઓમાં વહી જશે, પરંતુ હું કોઇને પાસે જઇને તેને શાબાશી આપીશ તો જ્યારે હું કંઇક સારું કરીશ તો એ પણ મને શાબાશી આપશે. તેનાથી મેદાનમાં એક સકારાત્મક વાતાવરણ ઉભુ થાય છે. જેનાથી તમે હળવું અનુભવો છો અને તમારી ચારેકોર ઉત્સાહ વધી જાય છે. આ બધી વસ્તુઓ મારા હાથમાં છે અને છેલ્લા 10 વર્ષથી હું એ કરતો આવ્યો છું.

સચિન પાસેથી રૈનાએ લીધી ટિપ્સ
રૈનાએ જણાવ્યું કે, મે સચિન પાસેથી ટિપ્સ લીધી છે. તેઓ ત્યાં બેડમિન્ટન રમવા માટે આવ્યા હતા અને અર્જુન(સચિન તેંડુલકરનો પુત્ર) ત્યાં નેટ પર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. સચિન પાજી તેમને કેટલીક ટિપ્સ આપી રહ્યાં હતા. હું તેમની પાસે ગયો અને મે તેમને પૂછ્યું કે ઇંગ્લેન્ડમાં કઇ બાબતો પર ધ્યાન આપવું જોઇએ. મે તેની સાથે ઘણી વાતો કરી, ખાસ કરીને માનસિક પક્ષ અંગે. મે ત્યાં બીકેસી પર પ્રવીર આમરે સર પાસેથી પણ બેટિંગ ટિપ્સ લીધી હતી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
