સ્પોટ ફિક્સિંગઃ સુપ્રીમે કહ્યું, ‘ ખેલને બરબાદ કરી રહ્યું છે BCCI’
નવી દિલ્હી, 24 નવેમ્બરઃ સ્પોટ ફિક્સિંગ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. આ મામલે મુદ્ગલ કમેટીના અહેવાલ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ફિક્સિંગ જેવી ઘટનાથી વિશ્વાસ તૂટે છે. કોર્ટે આઇપીએલમાં અને શ્રીનિવાસન હોવા અંગે કહ્યું કે, આઇપીએલમાં શ્રીનિવાસનનો ભાગ હોવો અજીબ વાત છે. તે બીસીસીઆઇના અધ્યક્ષ પણ છે અને આઇપીએલમાં ભાગીદાર પણ.
આઇપીએલ સ્પોટ ફિક્સિંગ પ્રકરણ પર કોર્ટે બીસીસીઆઇએ કહ્યું કે જો તમે આ બધુ થવા દેશો તો પછી તમે ક્રિકેટની રમતને ખતમ કરી રહ્યાં છો. અમે ન્યાયમૂર્તિ મુદ્ગલ સમિતિના અહેવાલના નિષકર્ષને યોગ્ય માનીએ છીએ. કોર્ટે કહ્યું કે કોઇ વ્યક્તિ વિશેષના બદલે ખેલને સંદેહનો લાભ મળવો જોઇએ. કોર્ટે શ્રીનિવાસને કહ્યું કે તમે બીસીસીઆઇના પ્રમુખ અને આઇપીએલ ટીમ, જેના અધિકારી સટ્ટેબાજીમાં લિપ્ત હોવાનું જાણવા મળ્યુ, માલિકના રૂપમાં હિતોના ટકરાવ સાથે જોડાયેલા પ્રશ્નો પર ધ્યાન આપવું પડશે.

નોંધનીય છેકે પ્રશાસક એન શ્રીનિવાસને સુપ્રીમ કોર્ટને શનિવારે અનુરોધ કર્યો હતો કે તેમણે ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ પદ પરત આપવામાં આવે. શ્રીનિવાસને કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં દાવો કર્યો છેકે આઇપીએલ-6 મામલે ન્યાયમૂર્તિ મુકલ મુદ્ગલ સમિતિના અહેવાલમાં તેમના વિરુદ્ધ આપત્તિજનક કંઇજ નથી. આ સાથે ઇન્ડિયા સિમેન્ટ્સે પણ કોર્ટને કંપની વિરુદ્ધ એવો કોઇપણ પ્રતિકૂળ આદેશ નહીં આપવા અનુરોધ કર્યો છે, જેનાથી ચેન્નાઇ સુપર કિંગ્સની ફ્રેન્ચાયઝી રદ કરવી પડે. શ્રીનિવાસન આ કંપનીના પ્રબંધ નિદેશક છે.
બીસીસીઆઇના નિર્વાસિત અધ્યક્ષે સમિતિ એ નિષ્કર્ષને પડકાર આપે છેકે તેમણે તથા બોર્ડના અન્ય ચાર અધિકારીઓએ વ્યક્તિ-3(ખેલાડી)ની કથિત જાણકારી હોવા છતાં તેની વિરુદ્ધ કાર્યવાહી નથી કરી. તેમણે કહ્યું કે, તત્કાલીન અધ્યક્ષે આ મામલે ધ્યાન આપ્યું હતું અને કોઇ કાર્યવાહી નહીં કરવા માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં.
શ્રીનિવાસને કહ્યું કે, તેમણે સટ્ટાબાજી, મેચ ફિક્સિંગ અથવા તપાસ પ્રભાવિત કરવાના આરોપોમાંથી મુક્ત કરવામાં આવે. અહેવાલમાં ‘વ્યક્તિ-3'થી સંબંધિત મામૂલી ઘટના અંગે ટિપ્પણી કરવામાં આવી છે, જે આપત્તિજનક નથી. તેમણે ન્યાયાયલને અનુરોધ કર્યો છેકે તેમને બીસીસીઆઇના અધ્યક્ષનું પદ ગ્રહણ કરવાની અનુમતિ આપવામાં આવે, જેનાથી તે લગભગ એક વર્ષથી અલગ છે. ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક ઇન્ડિયા સિમેન્ટ્સે અલગથી દલીલ કરી છેકે શ્રીનિવાસનના જમાઇ ગુરુનાથ મય્યપન, જેને અહેવાલમાં દોષી ઠેરવવામાં આવ્યા છે, કોઇપણ પ્રકારે ઇન્ડિયા સિમેન્ટ્સ સાથે સંબંધ નથી.
આ કંપનીએ અનુરોધ કર્યો છેકે ઇન્ડિયા સિમેન્ટ્સ વિરુદ્ધ કોઇપણ પ્રતિકૂળ આધકેશથી માત્ર ચેન્નાઇ સુપર કિંગ્સ માટે જ નહીં પરંતુ આખી લીગ, ક્રિકેટ ખેલાડીઓ અને આઇપીએલ સાથે જોડાયેલા લોકો પર પણ હાનિકારક પ્રભાવ પડશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે






Click it and Unblock the Notifications
