'ICC એ ગુરુનાથ અને બુકી અંગે કોઇ ચેતવણી નહોતી આપી'
નવી દિલ્હી, 1 જૂનઃ બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવસાને શુક્રવારે ફરીથી રાજીનામું આપવાનો ઇન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું તે તેમને આઇપીએલમા સ્પોટ ફિક્સિંગ મામલે પોતાના જમાઇ ગુરુનાથ મયપ્પનને આઇસીસી તરફથી મળેલી કોઇ ચેતવણીની જાણકારી નથી. સ્પોટ ફિક્સિંગના તાજા મામલામાં તેમના જમાઇની ધરપકડ થયા પછીથી શ્રીનિવાસન પર રાજીનામું આપવા અને બોર્ડની બેઠક બોલાવવાનું દબાણ સતત થઇ રહ્યું છે.
સમાચાર ચેનલ એનડીટીવીએ શ્રીનિવાસનના હવાલાથી શુક્રવારે કહ્યું કે બીસીસીઆઇની કાર્યકારી સમિતિની આપાત બેઠક શનિવારે આઠ જૂને થશે. આ પહેલા એનડીટીવીએ શુક્રવારે મુંબઇ પોલીસના સૂત્રોના હવાલાથી કહ્યું હતું કે શ્રીનિવાસનના જમાઇ મયપ્પને આ મામલે પકડાયેલા બોલિવુડ અભિનેતા વિંદુ દારા સિંહને જણાવ્યું હતું કે આઇસીસીએ તેમને આઇપીએલની તેમની સ્વામિત્વવાળી ટીમ પ્રત્યે સચેત રહેવા કહ્યું હતું.

શ્રીનિવાસને જોકે મયપ્પનને આઇસીસી તરફથી મળેલી કોઇપણ પ્રકારની ચેતવણી અંગે અજાણ હોવાનું જાહેર કર્યું છે અને ફરીથી પોતાના રાજીનામાનો ઇન્કાર કર્યો છે. બીજી તરફ બીસીસીઆઇના સંયુક્ત સચિવ અનુરાગ ઠાકુરે શુક્રવારે કહ્યું કે તેમણે આ મુદ્દે ચર્ચા કરવા માટે બોર્ડની વિશેષ સામાન્ય બેઠક બોલાવવાની માંગ કરી છે. બોર્ડની આ વિશેષ બેઠક શનિવારે 8 જૂને બોલાવવામાં આવી છે. જો આ બેઠકમાં બોર્ડના ત્રણ ચોથાઇ સભ્ય શ્રીનિવાસન વિરુદ્ધ મતદાન કરે છે તો શ્રીનિવાસને રાજીનામું આપવું પડશે. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે 18 એસોસિએશન શ્રીનિવાસન વિરુદ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
