ઇંગ્લેન્ડે સારી બોલિંગ કરી છતાં અમે મેચમાં છીએઃ અશ્વિન
માન્ચેસ્ટર, 8 ઑગસ્ટઃ ભારતના ઓફ સ્પિનર આર અશ્વિને આશા વ્યક્ત કરી છેકે શુક્રવારે બીજા દિવસે તેમના અનેક બોલર્સ ઇંગ્લેન્ડને ચોથી ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત બનાવતા અટકાવશે. આ સાથે જ અશ્વિને ભારતની પહેલી ઇનિંગ દરમિયાન પોતાની આઉટ થવાની રીત અંગે પણ નિરાશા વ્યક્ત કરી છે.
ભારતીય ટીમ પહેલી ઇનિંગમાં 152 રન જ બનાવી શક્યું હતું. જેના જવાબમાં ઇંગ્લેન્ડે બીજા દિવસે રમત આગળ વધારતા 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવી લીધા છે. પ્રથમ દિવસની રમત પૂર્ણ થયા બાદ પીચ અંગે પૂછવામાં આવેલા પ્રશ્ન કે શું આ એવી વિકેટ હતી કે જ્યાં ટીમ 150 રન પર આઉટ થઇ શકે છે, તો અશ્વિને કહ્યું કે, આ પીચ પર કોઇ સંખ્યા નક્કી કરી શકાય નહીં.
તેમણે કહ્યું કે, આ પીચ પર બોલર્સ માટે કંઇક હતું અને ઇંગ્લેન્ડના બોલર્સે ઘણી સારી બોલિંગ કરી. કદાચ અમે વધુ રન બનાવી શક્યા હોત. આપણે હંમેશા વધુ રન ઇચ્છતા હોઇએ છીએ પરંતુ અમે અંતમાં કેટલીક વિકેટ હાંસલ કરીને સારું કર્યું અને અમે હજું પણ મેચમાં બનેલા છીએ. પહેલા દિવસે ભારતે ઇંગ્લેન્ડની ત્રણ વિકેટ પાડી દીધી હતી.
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ ધોનીએ પહેલા દિવસે કર્યો રેકોર્ડનો વરસાદ
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટરમાં ભાવુક થઇ ટીમ ઇન્ડિયા
આ પણ વાંચોઃ- માન્ચેસ્ટર ટેસ્ટઃ વિરોધી ટીમના 8/4, ઇંગ્લેન્ડે ગુમાવી છે મેચ

ભારતે આઠ રનમાં ગુમાવી ચાર વિકેટ
ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને સ્ટુઅર્ટ બ્રોડ(25 રનમાં છ વિકેટ) અ જેમ્સ એન્ડરસન(46 રનમાં ત્રણ વિકેટ)ની ધારદાર બોલિંગની સામે ભારતે પહેલી છ ઓવરમાં જ આઠ રનના સ્કોર પર ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ધોનીના પહેલી બેટિંગ કરવાના નિર્ણય અંગે અશ્વિનનું મંતવ્ય
વાદળછાયું વાતાવરણ હોવા છતાં ધોનીએ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જે અંગે અશ્વિને જણાવ્યું કે, દરેક મેચોમાં વિકેટ મહદઅંશે ઘણી સમાન હતી, પરંતુ સ્થિતિ અલગ હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે પ્રબંધનનો હતો. અંતમાં તેમણે ઘણી સારી બોલિંગ કરી અને સ્થિતિનો સંપૂર્ણ ફાયદો ઉઠાવ્યો.

ચોથી મેચમાં અશ્વિનનું પ્રદર્શન
પાંચ મેચોની શ્રેણીમાં પહેલી ત્રણ મેચમાં અશ્વિનનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. ચોથી મેચમાં અશ્વિનને અંતિમ ઇલેવનમાં સમાવવામાં આવ્યો હતો. અશ્વિને 40 રનની ઇનિંગ રમવા ઉપરાંત સાતમી વિકેટ માટે ધોની સાથે 66 રનની ભાગીદારી નોંધાવી ભારતને ખરાબ રીતે શરમજનક અવસ્થામાં મુકાતા બચાવ્યું હતું.

પોતાની બેટિંગ અંગે શું કહ્યું અશ્વિને
અશ્વિને કહ્યું કે હું માત્ર વિકેટ પર ટકીને બેટિંગ કરવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ જે પ્રકારને હું આઉટ થયો તેનાથી હું નિરાશ છું. હું પોતાની જાતને દોષી ઠેરવી શકુ છું. જો અમે થોડાક વધુ રન બનાવી શકત તો તેમના પર વધારે દબાણ મુકી શક્યા હોત.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
