ધોનીએ ઉઠાવ્યો યુવરાજની ફીટનેસ પર સવાલ

ધોનીએ કહ્યું કે, એ યુવરાજે નક્કી કરવાનું છે કે તેમણે ટેસ્ટ મેચો માટેની ફિટનેસ હાંસલ કરી લીધી છે કે નહીં. ઇંગ્લેન્ડ સાથે થનારી આગામી ચાર મેચોની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ માટે પાંચ નવેમ્બરે ટીમની પસંદગી કરવાની છે અને યુવરાજને નંબર-6 માટેનો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
યુવરાજે દુલીપ ટ્રોફીમાં બેવડી સદી ફટકારી હતી અને ઇંગ્લેન્ડ સામેની વોર્મ અપ મેચમાં અડધી સદી ફટકારી હતી. પરંતુ તેમ છતાં યુવરાજની ફિટનેસ સામે પ્રશ્નો ખડા કરવામાં આવી રહ્યાં છે.
ધોનીએ કહ્યું, '' ટેસ્ટ ક્રિકેટ અને વનડે ક્રિકેટ બન્ને અલગ છે. વનડે મેચમાં 50 ઓવર રમવાની હોય છે પરંતુ ટેસ્ટ ક્રિકેટ અનિશ્ચિતતાથી ભરેલું છે. તેમા ટીમને બે દિવસ સુધી બેટિંગ કરવાનું આવી શકે છે. તેવામાં યુવરાજે જાતે જ નિર્ણય કરવો પડશે કે તે ટેસ્ટ માટે ફીટ છે કે નહીં. ''
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યા પછી યુવરાજે અત્યારસુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી. તેણે ટી-20 મેચો રમી છે તથા પાંચ દિવસીય પ્રથમ શ્રેણીની મેચ પણ રમી છે, પરંતુ પ્રતિસ્પર્ધી સ્તર પર તે હજુ સુધી ફીટનેસના સ્તર પર માપાયો નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
