World Cup 2023 Indian Squad : અક્ષર પટેલનું સપનું ચકનાચુર, આ ખેલાડીને વર્લ્ડ કપ ટીમમાં શામેલ
World Cup 2023 Indian Squad : થોડા દિવસોમાં વર્લ્ડ કપ શરૂ થવા જઇ રહ્યો છે, જેના માટે ભારતીય અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આગામી ODI વર્લ્ડ કપ-2023 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાન પર આર અશ્વિનને 15 સભ્યોની ટીમમાં તક મળી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ગુરુવારના રોજ આ મોટી જાહેરાત કરવામાં આવી હતી.

અક્ષર પટેલનું તૂટ્યુ સપનું - ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને 37 વર્ષીય અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. તે તેના ડાબા ક્વાડ્રિસેપ્સની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. 15 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ સામેની એશિયા કપ-2023ની મેચમાં અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો.
આ સાથે અક્ષર પટેલનું વનડે વર્લ્ડ કપ રમવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. અશ્વિન પહેલાથી જ ટીમ સાથે ગુવાહાટી ગયો છે, જ્યાં 30 સપ્ટેમ્બરના રોજ પ્રેક્ટિસ મેચમાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.
ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું - અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI શ્રેણીમાં તક મળી હતી, જેમાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈન્દોરમાં રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં 3 વિકેટ ઝડપી હતી.
અશ્વિને મોહાલીમાં 1 વિકેટ પણ લીધી હતી. આ રીતે તેણે શ્રેણીમાં 2 મેચ રમી અને 4 વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, અશ્વિન લગભગ 20 મહિના બાદ આ ફોર્મેટમાં પાછો ફર્યો હતો, અને હવે તેને વર્લ્ડ કપની ટિકિટ મળી ગઈ છે.
અશ્વિન પાસે ઘણો અનુભવ છે - અશ્વિનને 115 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ છે. તેણે આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 155 વિકેટ લીધી છે. તેણે ટેસ્ટમાં 94 મેચમાં 489 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 65 T20 ઈન્ટરનેશનલ મેચમાં 72 વિકેટ લીધી છે.
12 વર્ષ પછી મોટી તક - ભારતીય ટીમ પાસે 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ જીતવાની મોટી તક છે. ટીમ ઈન્ડિયાએ 2011માં તેની યજમાનીમાં ODIમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ વખતે પણ ભારત વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. રોહિત શર્મા ICC ટૂર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.
ભારતની અપડેટેડ અને ફાઇનલ વર્લ્ડ કપ ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઈશાન કિશન (વિકેટમેન), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
