Suryakumar Yadav : કેપ્ટન બન્યા બાદ સુર્યકુમાર યાદવનું પહેલુ નિવેદન, જાણો શું કહ્યું?
રોહિત શર્માએ T20 ક્રિકેટ છોડ્યા બાદ સુર્યકુમાર યાદવની લોટરી લાગી છે. શ્રીલંકા પ્રવાસ માટે કેપ્ટન બનાવાયા બાદ સુર્યકુમાર યાદવનું પહેલુ નિવેદન સામે આવ્યુ છે.
સૂર્યકુમાર યાદવને T20 વર્લ્ડ કપ 2024માં વિજય બાદ રોહિત શર્માના સ્થાને ભારતના નવા T20 કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તે 27 જુલાઈથી શ્રીલંકા સામે શરૂ થનારી આગામી T20 શ્રેણીમાં ટીમનું નેતૃત્વ કરશે.

કેપ્ટનની ભૂમિકા માટે હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યકુમારને પસંદ કરવાનો BCCIનો નિર્ણય ઘણા લોકો માટે આશ્ચર્યજનક રહ્યો છે.
આ સીરિઝ 27 જુલાઈએ પલ્લેકલેમાં શરૂ થશે અને 30 જુલાઈએ પૂરી થશે. ખાસ વાત એ છે કે હાર્દિક પંડ્યાના સ્થાને સૂર્યકુમારને પસંદગી આપવામાં આવી છે તો હાર્દિક પંડ્યાને વાઇસ કેપ્ટન પણ બનાવવામાં આવ્યો નથી.
જો કે આ નેતૃત્વની ભૂમિકા સૂર્યકુમાર માટે બિલકુલ નવી નથી. તેણે અગાઉ નવેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાં તેણે 4-1થી શ્રેણી જીતી હતી. તેણે ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણી 1-1થી ડ્રો કરી હતી.
સુકાની બનાવવામાં આવ્યા બાદ સૂર્યકુમારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આભાર વ્યક્ત કર્યો. તેણે લખ્યું કે, તમારા બધાના પ્રેમ, સમર્થન અને શુભકામનાઓ માટે ખૂબ ખૂબ આભાર. છેલ્લા કેટલાક અઠવાડિયા સપનાથી ઓછા નથી અને હું ખરેખર આભારી છું. તેણે સ્વીકાર્યું કે આ નવી ભૂમિકા તેની સાથે નોંધપાત્ર જવાબદારી અને ઉત્સાહ લાવનારી છે.
BCCI એ શ્રીલંકા શ્રેણી માટે ભારતની T20 ટીમની જાહેરાત કરી છે, જેમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે અને શુભમન ગિલને પ્રવાસની T20 અને ODI શ્રેણી બંને માટે વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ટીમમાં યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ અને રિયાન પરાગ જેવા ખેલાડીઓ સામેલ છે.
કોચ તરીકે ગૌતમ ગંભીરનો આ પહેલો પ્રવાસ હશે. તેણે રોહિત શર્મા અને કોહલીને વન-ડે શ્રેણીમાં રમવા માટે વિનંતી કરી અને બંને ખેલાડીઓ સંમત થયા છે. રોહિત શર્મા વનડે શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
