IPL 2022: રવિન્દ્ર જાડેજા બન્યા CSKના નવા કેપ્ટન
રવિન્દ્ર જાડેજા CSKના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ સોંપવાનું નક્કી કર્યું અને રવિન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા બાદ આ નિર્ણય કરાયો છે.
IPL 2022 : રવિન્દ્ર જાડેજા CSKના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ સોંપવાનું નક્કી કર્યું અને રવિન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જાડેજા, જે 2012 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન હિસ્સો છે, તે CSKનું નેતૃત્વ કરનાર માત્ર ત્રીજો ખેલાડી હશે. ધોની આ સિઝનમાં અને તે પછી પણ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.

આઈપીએલ ઈતિહાસમાં કેપ્ટન તરીકે એમએસ ધોની :
- મેચ - 204
- જીત - 121
- હાર - 82
- નો રેસ્ટ - 1
- જીતની ટકાવારી - 59.60
- 4 વખત IPL વિજેતા કેપ્ટન
- 2 વખત CL T20 વિજેતા કેપ્ટન

આ ખેલાડી CSKનો નવો કેપ્ટન બન્યો
મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ તેના ચાહકો માટે આંચકાથીઓછું નથી.
ધોનીની જગ્યાએ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ જાણકારીઆપી છે.
ધોની એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે. ઉલ્લેખનીય છે કે, IPL 2022ની મેગા ઓક્શન પહેલા જાડેજા ચેન્નાઈ દ્વારા રિટેન કરાયેલો સૌથી મોંઘોખેલાડી હતો. ચેન્નાઈએ તેને 16 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. જ્યારે ટીમે એમએસ ધોનીને 12 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
|
એક મહાન ઓલરાઉન્ડર છે જાડેજા
રવિન્દ્ર જાડેજા ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. જાડેજા બોલની સાથે સાથે બેટમાં પણ યોગદાન આપવામાં નિષ્ણાત ખેલાડી છે. છેલ્લી ઘણી સિઝનમાં, તે ચેન્નાઈ માટેસૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે પણ કેપ્ટન ધોનીને વિકેટની જરૂર પડતી ત્યારે તે જાડેજાનો નંબર ફેરવતો હતો.
IPL 2021માં RCB સામેનીમેચમાં રવિન્દ્ર જાડેજાએ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. તેના સ્પિનના જાદુથી કોઈ બચ્યું નથી. તે કોઈપણ પીચ પર વિકેટ લઈ શકે છે. તેની ચાર ઓવર રમવીકોઈપણ વિરોધી ટીમ માટે સરળ નથી.

જાડેજા CSKનો ત્રીજો કેપ્ટન હશે
રવીન્દ્ર જાડેજા 2012થી ચેન્નાઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે, 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યોહતો.
213 મેચમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે, જેમાંથી ટીમ માત્ર 2મેચ જીતી શકી છે.

16 કરોડમાં રિટેન કરાયો હતો જાડેજા
આ વખતે ચેન્નાઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂપિયા 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આસિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો.
આના પરથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકેછે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
